________________
૧૨
શ્રી રાયપણુઈય સુત્ત એ કેઈથી ન દબાય એ હતો. વળી, એ ચિત્ત સારથિ અર્થશાસ્ત્રમાં સૂચવેલા સામ ભેદ દંડ વગેરે રાજકારણ ઉપાયોમાં કુશળ હતું, હાજર જવાબી, અનુભવી હતે. ઓત્પત્તિકી પૈનચિકી કર્મજ અને પરિણામિક એવી ચારે પ્રકારની બુદ્ધિ એનામાં હતી. રાજા પસી, તેનાં પિતાનાં અનેક કાર્યોના કારણોના કુટુંબોના મંત્રણાઓના છૂપાં કામના રહસ્યભૂત બનાના અનેક જાતના નિર્ણના અને એવા બીજા ભેદભરેલા અનેક પ્રકારના રાજકારણના વ્યવહારોનાં વિધાનમાં તેની સલાહ લેતે. રાજાને મન એ સારથિ ખળાના વચલા સ્તંભ જે હતો અને રાજા એને પ્રમાણભૂત, પિતાને આધાર, આલંબન અને પોતાની આંખ જેવો જ સમજતો હતો. એ સારથિમાં રાજા પચેસીને ખૂબ વિશ્વાસ હતો, માટેજ એ અનેક પ્રકારની રાજખટપટમાં અને બીજાં પણ વિવિધ પ્રકારનાં રાજકાર્યોમાં પિતાની સલાહ આપી શકતો. બીજી રીતે કહીએ તો એ સારથિ રાજા પસીના સમગ્ર રાજ્યની ધુરાને વહેતો હતો.
- ૧૮૦ જે વખતે રાજા પસી સેયવિયા નગરીમાં રાજ્ય કરતા હતા તે વખતે રાજા જિતશત્રુ કુણલદેશની ૧૨ સાવત્થી નગરીને રાજા હતા. કુણાલદેશ સમૃદ્ધિવાળો હતો અને સાવOી નગરી પણ ઋદ્ધિસિદ્ધિથી ભરેલી હતી. રાજા જિતશત્રુ પસી રાજાને આજ્ઞાધારી ખંડિયે રાજા હતા.
૧૮૧ એક વખતે રાજા પચેસીએ વિશાળ મહામૂલ્ય એવું રાજાને દેવા જેવું એક મેટું ભંટણું તૈયાર કરાવ્યું. પછી ચિત્ત સારથિને બેલાવીને કહ્યું કે, ચિત્ત ! તું સાવત્થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org