________________
૧૦૦
શ્રી રાયપાસેણઈય સુત્ત
મળ્યું ? તેણે એ બધું કેવી રીતે પ્રાપ્ત કર્યું ? અને કેવી રીતે એ બધાંને તે સ્વામી થ? એ સૂર્યાભદેવ એના પૂર્વ જન્મમાં કોણ હતો ? એનું નામ ગેત્ર શું હતું? એ કયા ગામ નગર કે સંનિવેશને નિવાસી હતો ? એણે એવું તે શું દીધું શું ખાધું શું કર્યું ને શું આચર્યું કે જેથી તે એવો મહાપ્રભાવશાળી દેવ થયે ? અથવા તથા પ્રકારના આર્ય શ્રમણ કે બ્રાહ્મણની પાસેથી તેણે એવું તે ધામિક આર્ય સુવચન શું સાંભળ્યું કે જેથી તે એ અતુલવૈભવવાળે ઉત્તમ દેવ થશે ?
“હે ગૌતમ વગેરે શ્રમણ !” એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરે ભગવાન ગૌતમને આમંત્રીને આ પ્રમાણે કહ્યું
ઉ–હે ગૌતમ! એમ છે કે આ જમ્બુદ્વીપનામના દ્વીપમાં ભારતવર્ષમાં કેકયિઅર્ધ૧૨૨ નામે જનપદ ધન અને ધાન્ય વગેરેની વિભૂતિથી પરિપૂર્ણ હતા. તે દેશમાં સર્વ પ્રકારનાં સુખનું ધામ એવી સેવિયા૨૩ નામની નગરી હતી. તે નગરીથી બહાર ઉત્તરપૂર્વના દિગ્માગમાં–ઈશાન ખૂણામાં બધી
તુઓમાં ફળેથી લગ્યું રહેતું સુંદર સુધી શીતળ છાયાવાળું અને સર્વ પ્રકારે રમ્ય નંદનવન જેવું મિયવણ નામે ઉદ્યાન હતું.
૧૭૬ તે નગરીને રાજા મહાહિમવંત જેવો પ્રભાવશાળી પચેસી૧૨૪ રાજા હતો. એ રાજા અધામિક, અમિષ્ઠ, ધર્મને નહિ અનુસરનારે, અધર્મને જ જેનાર, અધર્મને ફેલાવનારો હતો. એના શીલ તથા આચારમાં ક્યાંય ધર્મને નામનું પણ સ્થાન ન હતું. વળી, એ રાજા પોતાની આજીવિકા અધર્મથીજ ચલાવતે. એના મોઢામાંથી “હ” “છેદે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org