________________
૯૮
શ્રી રાયપાસણય સુત્ત
ઉદ્યાન વને વનરાજિઓ કાનનો અને વનખંડમાં અર્થાત્ મારા આ વિમાનમાં વસતાં દેવો અને દેવીઓ એ નાને માટે બધે સ્થળે અચૈનિકા૧૨૦ કરે એવું જાહેર કરે.
આભિગિક દેવો દ્વારા પિતાના સ્વામી સૂર્યાભદેવની ઉપર પ્રમાણેની ઘેાષણ સાંભળી ત્યાં વસતાં પ્રત્યેક દેવે અને દેવીઓએ ઉક્ત ઘોષણામાં જણાવ્યા પ્રમાણેનાં તે તે પ્રત્યેક સ્થળની અચનિકા કરી.
૧૭૧ આ બધું પતી ગયા પછી તે સૂર્યાભદેવ નંદા પુષ્કરિણીએ ગયે, ત્યાં તેણે હાથ પગ પખાળ્યા૧૨૧ અને ત્યાંથી તે, ચાર હજાર સામાનિક દેવસ, ચાર પટ્ટરાણીઓ અને સોળ હજાર આત્મરક્ષક દેવે વગેરે અનેક દેવ દેવીઓ સાથે, મેટા ઠાઠમાઠથી વાજતે ગાજતે વરઘોડો ફરે તેમ ફરતો ફરતો સીધો પોતાની સુધર્માસભા તરફ આવ્યું, ત્યાં પૂર્વ દ્વારે પેસી ત્યાંના મુખ્ય સિંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેઠે.
૧૭ર એ સભામાં તે સૂર્યાભદેવની પશ્ચિમેત્તરે અને ઉત્તરપૂર્વે ઢાળેલાં ચાર હજાર ભદ્રાસનેમાં સૂર્યાભદેવની સામાનિક સભાના સભ્યદે બેઠા, પૂર્વમાં તેની ચાર પટ્ટરાણુઓ, દક્ષિણપૂર્વમાં આંતરસભાના આઠ હજાર દેવ, દક્ષિણમાં મધ્યમસભાના દસ હજાર દેવ, દક્ષિણ પશ્ચિમમાં બાહ્યસભાના બાર હજાર દેવ અને પશ્ચિમે સાત સાત સેનાધિપતિઓ બેઠા.
૧૭૩ વળી, તે સૂર્યાભદેવની ફરતા ચારે દિશામાં ચાર ચાર હજાર આત્મરક્ષક દે બેઠા. એ આત્મરક્ષક દેએ બરાબર સજેલાં કવો પહેરેલાં, ખેંચેલી કામઠીવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org