________________
શ્રી રાયપાસેણઈય સુત
ઉપપાતસભા, અભિષેક સભા, અલંકારસભા અને એ બધી સભાઓને ચારે બાજુને પ્રદેશ, એ બધાંને તથા એ બધે સ્થળે આવેલી પૂતળીઓ, શાલભંજિકાઓ, દ્વારચેટીઓ અને બીજાં બધાં ભવ્ય ઉપકરણે વગેરેને તે સૂર્યાભદેવે મેરપીંછથી પૂજ્યાં, દિવ્ય પાણીની ધારાઓથી પંખ્યાં, તેમના ઉપર ગશીર્ષ ચંદને લેપ્યાં–તે વતી થાપા માર્યા અને તેમની સન્મુખ ફૂલના પગર ભર્યા, ધૂપ દીધો અને તે શાભાવર્ધક બધી સામગ્રી ઉપર ફૂલ ચડાવ્યાં, તેમજ માળાઓ, ઘરેણાં અને વસ્ત્રો વગેરે પહેરાવ્યાં અને પોતાની ત્રાદ્ધિને સૂચવતા તે પ્રત્યેક પદાર્થ તરફ એ રીતે તે સૂર્યાભદેવે પિતાને સદ્ભાવ બતાવ્યો.૧૧૮
૧૯ એમ કરતે કરતે તે, છેક છેલ્લે વ્યવસાયસભામાં આવી પહોંચ્યા. ત્યાં તેણે ત્યાંના પુસ્તકરત્નને મેરપીંછથી પૂછ્યું, દિવ્ય જળની ધારાથી પંખ્યું અને ઉત્તમ ગંધ તેમજ માળા વગેરે વડે પૂર્વવત્ તેની અર્ચા કરી તથા ત્યાંની પૂતળીઓ વગેરે તરફ પણ તેણે તેજ રીતે પોતાને સદ્દભાવ સૂચિત કર્યો.૧૧૯
- ૧૭૦ આ બધું કરીને જ્યારે તે બલિપીઠ પાસે આવી બલિનું વિસર્જન કરે છે ત્યારે તેણે પોતાના આભિગિક દેવોને બોલાવી નીચેનો હુકમ કહી સંભળાવ્યો?
હે દેવાનુપ્રિયે તમે શીધ્ર જાઓ અને આ સૂર્યાભ વિમાનમાં આવેલા સિંગડાના ઘાટના માર્ગોમાં ત્રિકામાં ચતુષ્કામાં ચમાં ચતુર્મુખમાં અને મહાપમાં તથા પ્રાકાર અટારીઓ દ્વારા ગેપુરે તોરણે આરામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org