________________
શ્રી રાયપાસેણઈય સુત્ત કમળો વગેરે રાખી આમતેમ દોડાદેવ કરે છે. એ રીતે તે દરેક દે પિતાના સ્વામીના અભિષેકની ખુશાલી માણે છે.
૧૬૩ અભિષેક થઈ રહ્યા બાદ તે દરેક દેવે હાથ જેને બેલ્યા કે
હે નંદ! તારે જય થાઓ, હે ભદ્ર! તારો જય થાઓ, જે અજિત છે તેને તે જિત અને જે જિત છે તેની તું રક્ષા કર. દેવોમાં જેમ ઇંદ્ર, તારાઓમાં ચંદ્ર, અસુરેમાં અમર, નાગમાં ધરણ અને મનુષ્યમાં ભારતની પેઠે તું અમારી વચ્ચે રહે.
વળી, ઘણું પાપમાં, ઘણું સાગરેપમાં, ઘણાં પાપ અને સાગરોપમે સુધી અમારા ઉપર અને આ આખા સૂર્યાભવિમાન ઉપર આધિપત્ય ભેગવ અને અમને બધાને સુરક્ષિત રાખતે તું અહીં આનંદથી વિહર.
આમ બોલીને તે બધાં દેવદેવીઓએ જય જય નાદ કર્યો અને એ રીતે સૂર્યાભદેવને ઈંદ્રાભિષેક પૂરો થયે.
૧૬૪ અભિષેક પૂરો થતાં તે સૂર્યાભદેવ, ત્યાંથી પૂર્વને બારણે નીકળી અલંકારસભાને પ્રદક્ષિણું કરતો તેમાં તેજ બારણે પેઠે અને ત્યાંના મુખ્ય સિંહાસને બેઠે.
પછી તેના સામાનિક સભ્યદેએ તેની સમક્ષ ત્યાં બધી અલંકારસામગ્રી ઉપસ્થિત કરી. પહેલાં તો ન્હાએ હેવાથી તેણે સુકોમળ અંગલુછણુ દ્વારા પિતાના અંગે લૂછયાં, તેના ઉપર સરસ ગશીર્ષ ચંદનનો લેપ કર્યો અને ત્યારબાદ એકજ ફૂકે ઊડી શકે તેવું ઘેડાની લાળ જેવું નરમ, સુંદર વર્ણ અને સ્પર્શવાળું, અને જેને છેડે સોનું જડેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org