________________
૯૨
શ્રી રાયપાસેણધય સુત્ત ગયા. પછી ત્યાંથી મહાહિમવંત રુકિમ વગેરે પર્વતે ભણી ઉડ્યા અને ત્યાંથી મહાપદ્મદ્રહ મહાપુંડરીકદ્રહ તરફ જઈ પછી તેઓ હરિવર્ષ અને રમ્યકક્ષેત્રની હરિકાંતા અને નારીકાંતા નદીઓ ભણી વળ્યા. ત્યાંથી ગંધાવતી માલવંત અને વૃત્તતાત્ય તથા નિષધ નીલવંત તિગિચ્છ કેસરિદ્રહ અને મહાવિદેહની સીતા સીતેદા નદીએ ભણી તેઓ ગયા. પછી ત્યાંથી ચકવતના બધા વિજયોએ જઈ અને એ રીતે તે તે બધાં સ્થળેનાં પાણી માટી પુષ્પાદિક લઈ છેક છેલ્લે તેઓ મંદર પર્વતે જઈ પહોંચ્યા. મંદર પર્વતના ભદ્રશાલ નંદન અને સોમનસ વનમાંથી સુંદર ગશીર્ષચંદન વગેરે સામગ્રી લઈ તેઓ ઝપાટાબંધ પાછા ફર્યા અને ત્વરાવાળી ચાલથી પાછા સૂર્યાભવિમાનમાં-જ્યાં સિંહાસન ઉપર પોતાને સ્વામી સૂર્યાભદેવ બેઠેલો છે ત્યાં–જઈ પહોંચ્યા અને પેલા સામાનિક સભાના સભ્ય સમક્ષ ઈંદ્રાભિષેકની સર્વ સામગ્રી જે તેમણે વિવિધ સ્થળેથી આ| હતી તે હાજર કરી દીધી.
૧૬૦ અભિષેકની સર્વ સામગ્રી આવી પહોંચ્યા પછી સૂર્યાભદેવની સામાનિક સભાના ચાર હજાર દેવસળે, તેની ચાર પટ્ટરાણીઓ, બીજી ત્રણ સભાઓના પિતપતાના પરિવારવાળા દે, સાત સેનાધિપતિઓ,સેળ હજાર આમરક્ષક દેવો અને બીજા પણ ઘણું દેવદેવીઓ-એ બધાંએ ત્યાં અભિષેકસભામાં આવી છે તે સામગ્રી દ્વારા મોટી ધામધૂમથી સૂર્યાભદેવને ઈંદ્રાભિષેક કર્યો.
૧૬૧ એ મહાવિપુલ ઈંદ્રાભિષેક ચાલતું હતું ત્યારે કેટલાક દેવોએ સૂર્યાભવિમાનમાં સુગંધી પાણીને ૧૧૫
પણ વહ
સભામાં
ધૂમથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org