________________
શ્રી રાયપાસેણઈય સુત્ત
અર્ચા વંદના અને પયું પાસના એ આપનું પ્રથમ કર્તવ્ય છે અને વળી વર્તમાન અને ભવિષ્યમાં સદાને માટે શ્રેય૫ એવું પણ એજ કામ છે.
૧૫૭ સૂર્યાભદેવ ઉક્ત સૂચન સાંભળી દેવશય્યામાંથી તુરતજ બેઠે થશે. ત્યાંથી ઉ૫પાનસભાના પૂર્વારે નીકળી પેલા સ્વચ્છ પાણીથી ભરેલા મોટા ધરા તરફ ગયો. ધરાને અનુપ્રદક્ષિણા કરતે તે તેમાં પૂર્વ દ્વારે પેઠા અને ત્યાં ગોઠવેલ સપાનદ્વારા તેમાં ઊતર્યો, ત્યાં તેણે જલક્રીડા અને જલનિમજજન સારી રીતે કર્યા, પછી તે ચેક અને પરમશુચિભૂત થઈ ધરામાંથી બહાર આવ્યું અને જ્યાં અભિષેકસભા હતી ત્યાં ગયો.
અભિષેકસભાને પ્રદક્ષિણા કરતે તે પૂર્વારે તેમાં પેઠે અને ત્યાં ગોઠવેલા મુખ્ય સિંહાસન ઉપર જઈ ચડી બેઠે.
પછી તેની સામાનિક સભાના દેવસભ્યએ ત્યાંના કર્મકરરૂપ આભિગિક દેવોને બોલાવ્યા અને હુકમ આ કેઃ
હે દેવાનુપ્રિોઆપણા સ્વામી આ સૂર્યાભદેવના મહાવિપુલ ઇંદ્રાભિષેકની તૈયારી કરે.
૧૫૮ ઉક્ત આજ્ઞા સાંભળતાં જ તે આભિયોગિક દેવોએ ત્યાંથી ઈશાન ખૂણામાં જઈ એક બે વાર વૈક્રિયસમુદૂઘાત કરી લીધો અને તે દ્વારા અભિષેકની સામગ્રી માટે એક હજાર આઠ એક હજાર આઠ એવા ઘણું પદાર્થો બનાવી લીધા; જેવા કે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org