________________
શ્રી રાયપણઈય સુત્ત
૮૯
પુષ્કરિણું આવેલી છે. તેની ઉત્તરપૂર્વે આઠ યેાજન લાંબુ પહેલું અને ચાર જન જાડું એવું સર્વરત્નમય અતિશય મનહર એક મેટું બલિપીઠ આવેલું છે.
એ રીતે વર્ણવેલું સૂર્યાભદેવનું વસતિસ્થાન વધારેમાં વધારે મનહર અને સર્વ પ્રકારે અતિશય આકર્ષક છે.
૧૫૫ તે કાલે તે સમયે તાજા અવતરેલા સૂર્યાભદેવે આહાર શરીર ઇંદ્રિય શ્વાસોચ્છવાસ અને ભાષા મનની પર્યાસિદ્વારા શરીરની સર્વાગ પૂર્ણતા મેળવી લીધી. પછી એ દેવ એવા વિચારમાં પડ્યો કે–અહીં આવીને મારું પ્રથમ કર્તવ્ય શું છે? હવે પછી નિરંતર શું કરવાનું છે? તત્કાળ અને ભવિષ્યમાં સદાને માટે શ્રેયરૂપ એવું શું કામ મારે કરવાનું છે?૧૧૨
૧પ૬ સૂર્યાભદેવ એવો વિચાર કરે છે ત્યાં તુરતજ તેની સામાનિક સભાના દેવે હાથ જોડીને સેવામાં હાજર થયા અને “જય થાઓ વિજય થાઓ ” એમ બોલી સ્વામીને વધાવતા તેની પાસે આવીને કહેવા લાગ્યાઃ
હે દેવાનુપ્રિય! આપના આ વિમાનમાં એક મોટું સિદ્ધાયતન છે. તેમાં જિનની ઊંચાઈએ ઊંચી એવી એક સે ને આઠ જિનપ્રતિમાઓ બિરાજેલી છે. આપની સુધર્માસભામાં એક માટે માણવક ચૈત્યસ્તંભ ઊભે કરેલ છે તેમાં ગોઠવી રાખેલા વમય ગોળ ડબામાં જિનનાં સથિઓ સ્થાપી રાખેલાં છે. એ, આપને અને અમને બધાને અર્ચનીય વંદનીય ઉપાસનીય છે.
તે હે દેવાનુપ્રિય! એ પ્રતિમાઓની એ સકિથઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org