________________
II
-
-
-
-
-
-
-
શ્રી રાયપાસેણઈય સુત્ત
૮૭
ચામી તપનીયમય અને માથા ઉપરના વાળ રિઝરત્નમય છે.
તે દરેક જિનપ્રતિમાઓની પાછળ, માળાવાળાં ધોળાં છત્રો ધરી રાખનારી છત્રધારક પ્રતિમાઓ છે, બન્ને બાજુએ મણિકનકમય ચામરને વીંઝતી ચામરધારક પ્રતિમાઓ છે.
૧૫૨ વળી તે દરેક જિનપ્રતિમાઓની આગળ સર્વરનમય એવી બે બે ૧૦૯નાગપ્રતિમાઓ, ભૂતપ્રતિમાઓ, યક્ષપ્રતિમાઓ અને કુડધારક પ્રતિમાઓ આવેલી છે.
એ ઉપરાંત એકસો આઠ એકસો આઠ ઘટે, કળશે, ભંગારે, આરિસાએ, થાળ, પાત્રીઓ, સુપ્રતિષ્ઠો, મનોગુલિકાઓ, રત્નકરંડીયાઓ, હયકંઠાઓ, ગજકંઠાઓ અને વૃષભકંઠાઓ વગેરે અનેક પદાર્થો ત્યાં એ પ્રત્યેક જિનપ્રતિમાની આગળ ગોઠવેલા છે.
વળી, ફૂલ, માળા, ચૂર્ણ, ગંધ, વસ્ત્ર, આભરણ, સરસવ૧૧૦ અને મેરપીંછ વગેરે ઉપકરણની એકસો આઠ એકસે આઠ અંગેરીઓ, ત્યાં પ્રતિમાઓ આગળ મૂકી રાખેલી છે.
વળી, ફૂલ, માળા, ગંધ અને મેરપીંછ વગેરેનાં તેટલાં જ પટલકે ત્યાં સ્થાપી રાખેલાં છે. એ ઉપરાંત એકસે આઠ એક આઠ સિંહાસને, છત્ર, ચામરે, તેલના ડબાઓ, કુઠના ડબાઓ, સુગંધી પત્ર, સુગંધી ચૂવા, તગર, એલચી, હરતાળ, હિંગળક, મણસિલ અને આંજણના ડબાઓ, એબધું ત્યાં યથાક્રમે ગઠવી રાખેલું છે. એ ડબાઓમાં તેલ વગેરે જે પદાર્થો ભરેલા છે તે અત્યંત નિર્મળ સુગંધી અને ઉત્તમ જાતના છે.
વળી, એ સિદ્ધાયતનમાં સુગંધી ધૂપથી મઘમઘતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org