________________
७८
શ્રી રાયપણુય સુત્ત
હે ભંતે! એ વેદિકાને પદ્મવરદિકા કહેવાનું શું કારણ?
ગૌતમ ! એ વેદિકાના થાંભલા, પાટીયાં, ખીલીઓ, ખીલીઓની ટોપીઓ, મેભ અને જાળિયાં વગેરે દરેક ભાગમાં, ચોમાસાના પડતા પાણીને રોકી શકે એવાં છત્રાકાર અનેક પ્રકારનાં સર્વરત્નમય સુંદર ઉત્પલે, કુમુદ, નલિનો, પુંડરીકે વગેરે નાના પ્રકારનાં ખીલેલાં પદ્મ શોભી રહ્યાં છે, માટે હે ચિરંજીવ શ્રમણ ! એ વેદિકાને પદ્મવરદિકા કહેલી છે.
હે ભગવન! વર્ણવેલી એ પવરવેદિકા શું શાશ્વત છે કે અશાશ્વત છે ?
ગૌતમદ્રવ્યાર્થિક નયની દષ્ટિએ તે એ વેદિકા શાશ્વત છે, પણ હે ગૌતમ ! તે વેદિકાના વર્ણો, ગધે, રસ અને સ્પર્શીની દષ્ટિએ જોતાં અર્થાત્ વર્ણાદિ પર્યાની અપેક્ષાએ તે તે વેદિકા અશાશ્વત છે, માટે તેને શાશ્વત પણ કહી છે અને અશાશ્વત પણ કહી છે.
હે ભગવન્! ઉપર વર્ણવેલી વેદિકા, શું ત્યાં કાયમ રહેવાની છે ?
હે ગૌતમ ! એ વેદિકા, ત્યાં કઈ દિવસ ન હતી, નથી કે નહિ હશે એમ તે ન કહેવાય; પણ એ, ત્યાં હમેશાંને માટે હતી, છે અને હશે એમ કહેવાય; માટે તે ત્યાં ધ્રુવ, શાશ્વત, અવ્યય, નિત્ય અને સદા અવસ્થિત છે એમ માનવું જોઈએ.
૧૩૭ ઉપકારિકાલયનની ફરતે જે વનખંડ વર્ણવેલ છે તેને ચક્રવાલવિઝંભ બે એજનથી કાંઈક એ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org