________________
શ્રી રાયપણુઈય સુત્ત
99
૧૩૪ જેની આસપાસ ચારે બાજુ એવડે માટે અને અતિશય સુંદર વનખંડ શેભી રહ્યો છે એવા તે સૂર્યાભનામના દેવવિમાનને અંદરને ભૂભાગ તદ્દન સપાટ અને અત્યંત રમણીય છે. ત્યાં પણ ઘણું દેવ અને દેવીએ ફરે છે, બેસે છે, હસે છે, રતિક્રીડા કરે છે અને આનંદ માણતા વિચરે છે.
૧૩૫ તે વિમાનના એ ભૂભાગની વચ્ચોવચ્ચ લાખ જન લાંબું પહોળું એવું એક મેટું ઉપકારિકાલયન છે; તેને ઘેરાવ ત્રણ લાખ સોળ હજાર બસે સત્તાવીસ પેજન, ત્રણ કોશ, અઠ્ઠાવીસસે ધનુષ, તેર આગળ અને ઉપર ઓછું વધતું અડધું આગળ છે. એ એવું કે હું લયન આખુંય સુવર્ણમય છે અને અત્યંત મનોહરમાં મનોહર છે.
એ લયનની ચારે બાજુ અડધું જન ઊંચી અને પાંચસેં ધનુષ પહોળી એવી એક મેટી પદ્મવદિકા છે અને એટલાજ માપને એક માટે વનખંડ તે લયનને ઘેરી રહેલે છે.
૧૩૬ તે વેદિકાના થાંભલા, પાટિયાં, ખીલીઓ, ખીલીઓની પીઓ, વાંસડા, વાંસડા ઉપરનાં નળિયાં, પાટીઓ, મોભીયાં, ઢાંકણું અને તેનાં ળિયાં ગેખલા વગેરે એ બધું વિવિધ રત્નમય મણિમય વજામય અને સુવર્ણરજતમય છે. એનાં કેટલાંક જાળિયાં નાની નાની ટેકરીઓવાળાં, મેતીના પડદાવાળાં અને મોટી મેટી લટકતી માળાવાળાં છે.
એ વેદિકામાં જ્યાં ત્યાં સર્વરત્નમય ઘેડાની વૃષભની અને સિંહ વગેરેની જોડે શેભી રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org