________________
૭૬
શ્રી રાયપણઈય સુત્ત
વળી, તે વનખંડમાં જ્યાં ત્યાં સર્વરત્નમય એવા ઝળાંઝળાં થતા જાઈની વેલેના મંડપ, જૂઈની વેલોના મંડપ, મલ્લિકા, નવલિકા, વાસંતી, દધિવાસુકા, સૂસ લિ–સૂરજમુખી, નાગરવેલ, નાગ, અતિમુક્તક, અષ્ક્રયા અને માલુકાની લતાઓના મંડપે ફેલાએલા છે.
તે પ્રત્યેક મંડપમાં હંસ અને ગરુડ વગેરેના ઘાટના, ઉંચા ઢળતા અને લાંબા એવા કેટલાય સર્વરત્નમય શિલાપટ્ટકો ઢાળેલા છે. તે બધાય શિલાપટ્ટકો માખણ જેવા સુંવાળા કમળ અને દેદીપ્યમાન છે.
૧૩ર હે ચિરંજીવ શ્રમણ ! તે સ્થળે અનેક દે અને દેવીઓ બેસે છે, સૂએ છે, વિહરે છે, હસે છે, રમે છે, રતિક્રીડા કરે છે અને એ રીતે પિતે પૂર્વે ઉપાજેલાં શુભ કલ્યાણમય મંગળરૂપ પુણ્યકર્મોના ફલવિપાકને ભેગવતા આનંદપૂર્વક વિચરે છે.
૧૩૩ વળી, તે વનખંડની વચ્ચોવચ્ચ પાંચસેં જન ઉંચા અને અઢીસે જન પહોળા એવા ચાર મોટા પ્રાસાદે શોભી રહ્યા છે. એ પ્રાસાદેનાં ભેંયતળિયાં તદ્દન સપાટ છે અને તેમાં ચંદરવા સિંહાસન વગેરે ઉપકરણો યથાસ્થાને બેઠવાએલાં છે.
તેમાંના એક પ્રાસાદમાં ૧૦૨ અશોકદેવ, બીજામાં સપ્તપણ દેવ, ત્રીજામાં ચંપકદેવ અને ચોથામાં ચૂતકદેવ એમ ચાર દેવોને નિવાસ છે. એ ચારે દેવે માટી દિવ્ય સમૃદ્ધિવાળા અને ૫૫મપ્રમાણ આયુષ્યવાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org