________________
-----
-
७४
શ્રી રાયપાસેણઈય સુત્ત
વહેતી નદીઓ અને ફૂલોથી ઢાંકેલાં એવાં હારબંધ આવેલાં અનેક સરોવર તથા હારબંધ શુભતા અનેક કૂવાઓ આવેલા છે. એ બધાંના કાંઠે રજતમય, કાંઠાના ભાગે ખાડાખડિયા વિનાના એકસરખા છે. એમની અંદરના પાણાઓ વજીમય અને વેલ્થ સુવર્ણ–રજતમય છે.
વાવો વગેરે એ બધાં જલા સુંવાળા સોનાના તળિયાવાળાં છે, એમાં ઊતરવાનાં અને નીકળવાનાં સાધન સારી રીતે ગોઠવાએલાં છે, એમના ઘાટે અનેક પ્રકારના મણિઓથી જડેલા છે. ચાર ખૂણાવાળાં એ જલાશમાં પાણી અગાધ અને અતિશીતળ છે. જેમની ઉપર ભમરા ભમરીઓ ગુંજી રહ્યાં છે એવાં ઉ૫લ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પૌંડરીક, સે અને હજાર પાંખડીવાળાં ખીલેલાં કમળોથી અને બિસપત્ર તથા મૃણાલના દડેથી એ બધાં જલાશ ઢંકાએલાં છે. જેમની અંદર ભમતા મ અને કાચબાઓ કર્લોલ કરી રહ્યા છે અને જેમને કાંઠે અનેક પ્રકારનાં પક્ષીઓ વિચરી રહ્યાં છે એવાં એ સ્વછાતિસ્વછ જળથી છલકતાં જલાશ તે વનખંડમાં શેભી રહ્યાં છે.
૧૨૯ એ જલાશમાં કેટલાંકમાં આસવ જેવાં પાણી છે, કેટલાંકમાં શેરડીના રસ જેવાં, કેટલાંકમાં ઘી જેવાં, કેટલાંકમાં દૂધ જેવાં, કેટલાંકમાં ખારા ઉસ જેવાં અને કેટલાંકમાં સામાન્ય પાણી જેવાં પાણી ભરેલાં છે.
તે વાવે અને કૂવા વગેરે પ્રત્યેક જલાશની ફરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org