SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ભગવાન મહાવીરના દશ ઉપાસકે કઢાઈમાં તળી નાખ્યા, પણ ચૂલણપિતા ડગે નહીં. [૧૩] છેવટે તેને ડગાવવા તે દેવે ચૂલણપિતાની દેવગુરુ સમાન માતા ભદ્રા સાર્થવાહીના કટકા કરી તળી નાખવાની ધમકી આપી. [૧૩૫] પહેલી વાર તે તે ધમકી ચૂલણપિતાએ ન ગણકારી; પરંતુ જ્યારે પેલા દેવે બીજી અને ત્રીજી વાર પણ એ જ ધમકી આપી, ત્યારે ચૂલપિતાને એ વિચાર આવ્યોઃ “અહે! આ કઈ અનાર્ય, અનાર્યબુદ્ધિવાળો પુરુષ આવાં અનાર્ય પાપકર્મો મારી સામે કરે છે. તેણે મારા પુત્રોને તે મારી નાખ્યા, હવે તે મારે માટે આકરાં દુઃખ સહન કરનારી મારી દેવગુરુ સમાન જનનીને મારી સામે મારીને તળવા તૈયાર થયેલ છે. માટે મારે આ માણસને પકડી લેવો જોઈએ.” [૧૩૬-૮] આ વિચાર કરી, તે ઊડ્યો, અને તેને પકડવા ગયે; એટલે પેલે દેવ એકદમ આકાશમાં ઊડી ગયે, અને ચૂલણપિતાના હાથમાં માત્ર થાંભલો આવ્યા. એટલે તેણે મેટા અવાજ સાથે કે લાહલ કરી મૂક્યો. [૧૩૮] તેને કોલાહલ સાંભળી, તેની માતા જાગીને તેની પાસે આવી, અને કહેવા લાગીઃ “હે પુત્ર! તે આ કેલાહલ શાને કર્યો?” [૧૩૯) ચૂલણપિતાએ પોતે જોયેલી વાત તેને કહી સંભળાવી. [૧૪] ૧. શેઠાણી; સંધવણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy