________________
૧૪
ભગવાન મહાવીરના દશ ઉપાસકે કઢાઈમાં તળી નાખ્યા, પણ ચૂલણપિતા ડગે નહીં. [૧૩]
છેવટે તેને ડગાવવા તે દેવે ચૂલણપિતાની દેવગુરુ સમાન માતા ભદ્રા સાર્થવાહીના કટકા કરી તળી નાખવાની ધમકી આપી. [૧૩૫]
પહેલી વાર તે તે ધમકી ચૂલણપિતાએ ન ગણકારી; પરંતુ જ્યારે પેલા દેવે બીજી અને ત્રીજી વાર પણ એ જ ધમકી આપી, ત્યારે ચૂલપિતાને એ વિચાર આવ્યોઃ “અહે! આ કઈ અનાર્ય, અનાર્યબુદ્ધિવાળો પુરુષ આવાં અનાર્ય પાપકર્મો મારી સામે કરે છે. તેણે મારા પુત્રોને તે મારી નાખ્યા, હવે તે મારે માટે આકરાં દુઃખ સહન કરનારી મારી દેવગુરુ સમાન જનનીને મારી સામે મારીને તળવા તૈયાર થયેલ છે. માટે મારે આ માણસને પકડી લેવો જોઈએ.” [૧૩૬-૮]
આ વિચાર કરી, તે ઊડ્યો, અને તેને પકડવા ગયે; એટલે પેલે દેવ એકદમ આકાશમાં ઊડી ગયે, અને ચૂલણપિતાના હાથમાં માત્ર થાંભલો આવ્યા. એટલે તેણે મેટા અવાજ સાથે કે લાહલ કરી મૂક્યો. [૧૩૮]
તેને કોલાહલ સાંભળી, તેની માતા જાગીને તેની પાસે આવી, અને કહેવા લાગીઃ “હે પુત્ર! તે આ કેલાહલ શાને કર્યો?” [૧૩૯)
ચૂલણપિતાએ પોતે જોયેલી વાત તેને કહી સંભળાવી. [૧૪]
૧. શેઠાણી; સંધવણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org