________________
૩. ચૂલણપિતા એટલે તેની માતાએ તેને કહ્યું: “હે પુત્ર! અહીં કોઈ માણસ આવ્યો નથી; કેઈએ તારા એકે પુત્રને માર્યો નથી, અને તેને કનડવા પણ કેઈ અહીં આવ્યું નથી. તે કેઈ બિહામણું દશ્ય જેવું લાગે છે, અને તેને કારણે તું તારાં વ્રત–નિયમ-પાષધમાંથી ચલિત થયા છે. માટે એ દેષનું તું પ્રાયશ્ચિત્ત કર, અને ફરી વ્રત સ્વીકારીને જેમ રહેતું હતું તેમ રહે.” [૧૪૧)
માતાની વાત ચૂલણપિતાએ વિનયથી સ્વીકારી; અને પિતે તોડેલા નિયમનું પ્રાયશ્ચિત્ત કરી, તેને ફરી સ્વીકાર કર્યો. [૧૪]
પછી તેણે આનંદની પેઠે ઉપાસકની અગિયાર પ્રતિમાઓને સારી રીતે પાર કરી. છેવટે મારણાંતિક સંખનાને સ્વીકાર કરી, સમાધિપૂર્વક તે મરણ પામે; અને સૌધર્મક૯પના ભૂષણરૂપ મહાવિમાનના ઈશાન ખૂણામાં આવેલા અરુણપ્રભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં તેનું આયુષ્ય ચાર પોપમ વર્ષ જેટલું છે. ત્યાંથી તે મહાવિદેહવાસ પામી, સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. [૧૪૩-૧૪૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org