SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. કામદેવ સહીસલામત પાછા આવી શકે છે, તેમ પ્રથમ અવસ્થામાં સ્વછંદીપણે વર્તવાનું તજી, તથા ગુરુની આજ્ઞામાં રહી, અપ્રમત્તપણે કામગમાંથી પોતાનું રક્ષણ કરનારે મનુષ્ય સહીસલામતીથી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. અલબત્ત, મોહગુણ સામે સતત ઝઝી વારંવાર વિજય મેળવનાર શ્રમણને અનેક પ્રતિકૂળ સ્પર્શી વેઠવા પડે છે, પણ તેથી ખિન્ન થયા વિના, તે પિતાના પ્રયત્નમાં અચલ રહે. સંસ્કારહીન, તુરછ તથા રાગ અને દ્વેષથી પરવશ એવા બીજા વાદીઓનાં અધમાચરણથી ડામાડોળ થઈ જવાને બદલે, તેમની વિપરીતતા સમજતા મુમુક્ષુએ કામ, ક્રોધ, લોભ, માયા અને અહંકારને ત્યાગ કરી, (જ્ઞાનાદિ) ગુણેની ઈચ્છા કરતા વિચરવું, એમ હું ભગવાનનું પ્રવચન સાંભળી કામદેવે પણ આનંદ ઉપાસકની પેઠે હુષ્ટ, તૃપ્ત, અને પ્રસન્ન થઈ ભગવાન પાસેથી બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો. ત્યાર બાદ ભગવાન મહાવીર વખત થયે ચંપામાંથી નીકળી, બહારના પ્રદેશમાં ચાલ્યા ગયા. અને શ્રમણોપાસક કામદેવ શ્રાવકધર્મ પાળતે તથા જૈન સાધુને ભિક્ષાદિ આપતા રહેવા લાગ્યો. ૧, ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્ય૦ ૪. ૨. આ બધું મૂળમાં આનંદ ઉપાસકની જેમ જ સમજી લેવાનું કહ્યું છે. એટલે કાં દેવની સાથે તેની ભાર્યા ભદ્રાદેવીએ પણ શ્રાવકધર્મ સ્વીકાર્યો હશે, એમ સમજી લેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy