SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ભગવાન મહાવીરના દશ ઉપાસક [શરીરે કરવાના વિલેપનની બાબતમાં –] “અગરુ, કુંકુમ અને ચંદન વગેરે સિવાય બીજા કશાનું વિલેપન કરવાને હું ત્યાગ કરું છું. [૨૯] [પુષ્પની બાબતમાં – “એક શુદ્ધ પદ્ધ અથવા માલતીની માળા સિવાય બીજા ફૂલ વાપરવાનો હું ત્યાગ કરું છું.” [૩૦] | [આભરણની બાબતમાં – “સાદાં કુંડળ અને નામવાળી વીંટી એ સિવાય બીજા આભરણેને હું ત્યાગ કરું છું.” [૩૧] [ ધૂપની બાબતમાં –] “અગરુ, તુર્કક વગેરે સિવાય બીજા કશાને ધૂપ કરવાને હું ત્યાગ કરું છું.” | [હવે મોલનની મર્યાદાઓમાં – પ્રથમ પીણાની બાબતમાં –] “(મગનું કે ભૂજેલા ચોખાનું) કફૅપયા નામનું પીણું છોડી, બીજું પીણું પીવાને હું ત્યાગ કરું છું.” [૩૩] [મીઠાઈની બાબતમાં –] “ઘેબર, અને ખાંડખાજા સિવાય બીજી મીઠાઈ ખાવાને હું ત્યાગ કરું છું.” [૩૪] [ચેખાની બાબતમાં – “કલમી ચોખા સિવાય બીજા ચેખા ખાવાને હું ત્યાગ કરું છું.” [૩૫] * આમ “વગેરે” શબ્દ મૂકવાથી પરિમાણ-મર્યાદાને કશો ખ્યાલ આવતો નથી; બીજી બાબતમાં તે નક્કી નામ કે પરિમાણું બનાવેલું છે. ટીકાકારે પણ આ વિષે કશું લખ્યું નથી. ૧. નામમુદ્રા. ૨. મૂળ: મરવા ૩. ઘgઇન ૪, વંટવજ્ઞા ૫ મૂળ: જમશાસ્ત્રી આ જાત પૂર્વ દેશમાં પ્રસિદ્ધ છે, એમ ટીકાકાર જણું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy