________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે કરતા, ચંપાનગરીની બહાર ઈશાન ખૂણામાં આવેલા પૂર્ણભદ્ર ચૈત્યમાં આવીને ઊતર્યા. [૧-૨]
સુધર્માસ્વામીને આવ્યા જાણીને રાજા કેણિક તથા ચંપાની સમસ્ત પ્રજા તેમની પાસે ધર્મ સાંભળવા આવી. [૨]
ધર્મ સાંભળીને બધાંના ચાલ્યા ગયા બાદ આર્ય સુધર્માના મુખ્ય શિષ્ય આ જંબુએ શ્રદ્ધા, સંશય અને કુતૂહલથી વિનયપૂર્વક બે હાથ જોડીને તેમને કહ્યું – - “નિર્વાણને પામેલા શ્રમણ-ભગવાન મહાવીરે છઠ્ઠા અંગ “જ્ઞાતાધર્મકથાસૂત્ર”ને જે અર્થ કહ્યો છે, તે અમે આપની પાસેથી સાંભળે. હવે સાતમા અંગ “ઉપાસકદશાઃ [દશ ઉપાસક)ને અર્થ અમને સંભળાવો.” [૨]
આર્ય સુધર્માએ જવાબમાં કહ્યું –
“હે જંબુ, નિર્વાણને પામેલા તે શ્રમણ-ભગવાન મહાવીરે આ “ઉપાસકદશાઃ” નામના સાતમા અંગનાં દશ પ્રકરણે કહ્યાં છે. તેમનાં નામ આ પ્રમાણે છે – (૧)
૧. ચેત્ય એટલે ચિતા ઉપરનું સ્મારક, જુઓ “ધર્મકથાઓ'પા૧૭૮૯.
૨. જૈન ધર્મના પ્રાચીન મુખ્ય ૧૨ ગ્રંથ “અંગ ગ્રંથો” કહેવાય છે. ( જુઓ આ માળાનું “સંચમધર્મ” પુસ્તક પા. ૧ ઇ.) “જ્ઞાતાધર્મ કથા'ને અનુવાદ આ માળામાં “ભગવાન મહાવીરની ધર્મકથાઓ' નામે પ્રસિદ્ધ થયેલ છે.
૩. જુઓ પુસ્તકને અંતે ટિપ્પણુ નં. ૧.
૪. “અનગાર” (ગૃહત્યાગી) બન્યા વિના મહાવીરે ઉપદેશેલા ધર્મને અનુયાયી બન્યા હોય તે ગૃહસ્ય-શ્રાવક તે “ઉપાસક' કહેવાય. જે અનગાર'- ભિક્ષુ બને, તે બમણુ” કહેવાય. શ્રમણ અને ઉપાસકનાં વ્રત, આચારો વગેરેમાં તફાવત હોય છે.
૫. મૂળ: “અધ્યયન'. સામાન્ય રીતે “અધ્યાચ” કહીએ છીએ તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org