SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક અંગ દેશની રાજધાની ચંપર નગરીમાં કેણિક નામે રાજા રાજ્ય કરતો હતો. તે સમયે, શ્રમણ-ભગવાન મહાવીરના શિષ્ય આર્ય સુધર્મા નામે વૃદ્ધ સાધુ, જબુ વગેરે પાંચસે શિષ્ય સાથે, ગામેગામ અનુકમે પગપાળા ફરતા ફરતા અને તપ તથા સંયમથી આત્માને વિકસિત ૧. જૂના મગધ પાસે આવેલ પ્રદેશ. આજના ભાગલપુર જિલ્લાને પ્રાચીન અંગદેશ કહી શકાય. જુઓ આ માળાનું “ધર્મકથાઓ’ પુસ્તક પા. ૧૫. ૨. ચંપાનું વર્તમાન નામ ચંપાનાલા છે, અને તે ભાગલપુરથી ત્રણ માઈલ દૂર આવેલું છે. જુઓ આ માળાનું “ધર્મ કથાઓ’ પુસ્તક ૫ ૧૫-૬. ૩. બૌદ્ધ ગ્રંથમાં અજાતશત્રુ નામે પ્રસિદ્ધ થયેલો રાજા. તે બુદ્ધ તથા મહાવીરને સમકાલીન હતે. તે પ્રસેનજિતને પૌત્ર અને શ્રેણિકને પુત્ર થાય. તેની માતા ચેલ્લણું વિદેહ વંશની હતી. જુઓ આ માળાનું “ધર્મકથાઓ’ પુસ્તક પા. ૧૭૬-૭. ૪. આચાર્ય સુધર્મા મહાવીર ભગવાનના ૧૧ પટ્ટશિષ્યોમાંના એક હતા. ભગવાનના સાધુ ગણના નાયક હોવાથી તે “ગણધર” પણ કહેવાય છે. તેમને જન્મ આશરે ઈ. સ. પૂ. ૬૦૭માં નાલંદા નજીક થયે હતો. [ જુઓ આ માળાનું પુસ્તક “સંયમધર્મ,' (બીજી આવૃત્તિ) પા. ૨-૪.] તેમનું નિર્વાણ મહાવીર પછી ૨૦ વર્ષે થયું હતું. * ૫. તેમને જન્મ રાજગૃહમાં થયે હતો. સુધર્મ સ્વામી પછી તે આચાર્ય બન્યા હતા. [ જુઓ આ માળાનું “સંયમધમ” પુસ્તક, (બીજી આવૃત્તિ) પા ૨-૪] તેમનું નિર્વાણ મહાવીર પછી ૬૪ વર્ષે થયું હતું. (ઈ. સ. પૂ. ૪૬૩). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy