________________
૧. આનંદ આનંદ (૨) કામદેવ (૩) ગૃહપતિ ચૂલણપિતા (૪) સુરાદેવ (૫) ચુલશતક (૬) ગૃહપતિ કુંડલિક (૭) સદાલપુત્ર (૮) મહાશતક (૯) નંદિનીપિતા (૧૦) સાલિહીપિતા.” [૨]
આનંદ જંબુએ પૂછ્યું, “એ દશ અધ્યયને માંના પહેલા અધ્યયનને શું અર્થ છે?”
આર્ય સુધર્મા બોલ્યા –
“વાણિજ્યગ્રામ નામે નગરમાં જિતશત્રુ નામે રાજા હતું. તેમાં આનંદ નામે જાણીતો ગૃહસ્થ રહેતે હતે. તે ગૃહસ્થ ધન-ધાન્ય, સેનું-રૂપું, બહેળાં-પહોળાં ઘર, શયન, આસન, વાહન, ઘેડા વગેરેથી સમૃદ્ધ હતો; વેપારધંધો, તથા વ્યાજવટાવમાં તેને ઘણું આવક હતી, તેના ઘરમાં અન્નપાનની રેલછેલ રહેતી; અને દાસ-દાસી,
૧. મૂળ: જાવ' જાગીરદાર– તાલુકદાર એવો તેનો અર્થ થાય (ગ્રામમિત્તા). સામાન્ય રીતે શ્રાવક – ગૃહસ્થ એવો અર્થ કરાચ.
૨. લિચ્છવીઓની રાજધાની વૈશાલીનું બીજું નામ. મૂળે વૈશાલી શહેરમાં ખાસ વૈશાલી ઉપરાંત વાણિજ્યગ્રામ અને કુંડગ્રામનો પણ સમાવેશ થતો હતો. આજે પણ તે બે સ્થળે “બાનિયા” અને “બસુકુંડ” નામનાં ગામડાંરૂપે અવશેષ રહેલાં છે. એ ભેગું શહેર સંજોગો અનુસાર તે ત્રણમાંથી ગમે તે એક નામે પણ સંબેધાતું. વૈશાલી અને વાણિજ્યગ્રામ વચ્ચે ગંડકી નદી આવેલી હતી એમ આવશ્યક સૂત્ર ઉપરથી જણાય છે.
૩. હિત () ૪. સોનઘોર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org