SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ પરિશિષ્ટ-મખલિપુર ગેપાલક શાળામાં મહાવીર સાથે ભેટો થયો. મહાવીરને માન-પાન સાથે મળતી ભિક્ષા જેઈને તેને પણ પોતાનો ધંધો છોડી, આજીવિકા માટે મહાવીર પાસે રહેવાનું જ વધારે યંગ્ય લાગ્યું. ઉપરની કથાઓથી બાદ્ધ તેમ જ જૈન ગ્રંથકારે, ગોશાલકે પછીથી પ્રવર્તાવેલા “આજીવિક સંપ્રદાયનું “આજીવિક” નામ પડવાનું કારણ આપવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એટલું તો સહેજે કબૂલ કરી શકાય કે, કેઈ પણ સંપ્રદાય તેના હરીફ કે વિરોધીઓમાં ભલે તેવા ઉપનામોથી ઓળખાય; પરંતુ તેને પોતાના અનુયાયીઓમાં પણ તે નામે ઓળખાય એમ બનવું સંભવિત નથી. મહાન અશોકે પિતાની રાજ્ય-કારકિર્દીના તેરમાં વર્ષમાં ગયા પાસેની ટેકરીઓના ખડકમાં કોતરી કાઢેલ બે ગુફાઓની દીવાલ ઉપર કોતરાવેલા ટૂંકા શિલાલેખમાં જણાવ્યું છે કે, “રાજા પ્રિયદર્શીએ પોતાના રાજ્યના તેરમા વર્ષમાં આ ગુફા આજીવિકાને આપી છે. અને મહાવંશટીકામાં જણાવ્યા પ્રમાણે તો અશોકની માતા ધર્મારાણુને કુલગુરુ જ જનસાન નામે આજીવિક હતે. બિંદુસારે તેને અશોકના જન્મ પહેલાં રાણીને આવેલા સ્વપ્નનો અર્થ કરવા બોલાવ્યો હતો. વળી દિવ્યાવદાનમાં જણાવ્યું છે કે, બિંદુસારે પિતાના પુત્રોમાંથી કોને ગાદી આપવી એ નક્કી કરવા પિંગલવત્સ નામના આજીવિકને બોલાવ્યો હતો. અશોક પછી ગાદીએ આવેલા “દશરથ મહારાજાએ” પણ “ગાદીએ આવ્યા પછી તરત જ “નાગાજુની ટેકરી ઉપર ત્રણ કોતરેલી ગુફાઓ’ ચંદ્ર સુરજ તપે ત્યાં સુધી આજીવિકાને નિવાસસ્થાન તરીકે વાપરવા આપતી વખતે તેમને “સંમાન્ય આજીવિકા” તરીકે ઉલેખ્યા છે. આમ એક પછી એક બિંદુસાર – અશોક – દશરથ એ ત્રણ એક જ વંશપરંપરાના રાજાઓના અમલ ૧. પિતાના રાજ્યકાળના ૨૮મા વર્ષ દરમ્યાન કોતરાવેલા સુપ્રસિદ્ધ સાતમા સ્તંભલેખમાં પણ અશકે પિતાના ધર્માધિકારીઓને બોદ્ધો, બ્રાહ્મણ અને નિગ્રંથની પેઠે આજીવિકાની પણ સંભાળ રાખવા જણાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy