________________
પરિશિષ્ટ
૧. મખલિપુર ગેપાલક જૈન ગ્રંશે સામાન્ય રીતે “મંલિપુત્ત ગે શાલક” એ નામની વ્યુત્પત્તિ ઉપરથી તેને અર્થ આપવાનો પ્રયત્ન કરી, તે માણસને પરિચય આપવાની રીત સ્વીકારે છે. તેઓ કહે છે કે, ચિત્રપટ બતાવીને આજીવિકા ચલાવનાર “પંખ' નામની ભિક્ષુ જાતના “મંખલિ” નામના એક ભિક્ષને પુત્ર હોવાથી “મંખલિપુત્ર'; અને શરવણમાં આવેલી ગેબહુલ નામના બ્રાહ્મણની ગૌશાળામાં તેની ભકામાને પેટે જન્મ્યો હોવાથી “ગે શાલક'.
પરંતુ “મંખલિપુત” શબ્દ “નાયપુર” કે “નિર્ગોઠપુર” જેવો હોઈ, તેનો અર્થ “મંલિ અથત મસ્કરિન જાતના સાધુસંપ્રદાયનો’ એવો હોઈ શકે. પાણિનિ (ઈ. સ. પૂ. ૩૫૦) પિતાના વ્યાકરણમાં (૬-૧-૧૫૪) મસ્કરિન નો અર્થ બતાવતાં જણાવે છે કે, મસ્કર” અથવા દંડ ધારણ કરનાર સાધુ તે મસ્કરિન કહેવાય. તેને એકદંડી પણ કહે છે. એટલે ગોશાલક એકદંડી તાપસોના વર્ગને હતો, એટલું જ તેના નામ ઉપરથી સિદ્ધ થાય છે.
બુહષાચાર્ય દીઘનિકાયની ટીકામાં શાલકના પૂર્વજીવન વિષે એવી કથા આપે છે કે, તે કઈ શેઠને ત્યાં નોકરીએ હતા, તેવામાં તેના હાથે એક ઘી ભરેલું વાસણ ફૂટી ગયું. પોતાને શેઠ હવે પોતાને ખૂબ ફટકારશે એ બીકથી તે બીજે ગામ નાસી ગયો. ત્યાંના લોકોએ તેને કપડાં વગેરે આપવા માંડ્યાં; પરંતુ તેણે તે ભિક્ષુક થવામાં જ વધારે સારી આજીવિકા જેઈ, એટલે તે ભિક્ષુક જ થયો.
જૈન ગ્રંથો તેની પૂર્વકથા એવી આપે છે કે, તે પણ પિતાના બાપની પેઠે ચિત્ર બતાવીને આજીવિકા કરનારે “મંખ’ હતું. તેવામાં તેને ઉપર જણાવ્યા પ્રમાણે નાલંદામાં આવેલી વણકર
૧૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org