________________
૭. સદાલપુર બંધ આપીને સંસાર-કાંતારમાંથી પાર ઉતારનાર છે, માટે તે મહાધર્મકથી છે. - ત્યાર બાદ ગોશાલકે ફરીથી કહ્યું : હે દેવાનુપ્રિય! અહીં મહાનિર્ધામક પધાર્યા છે.
સદાલપુરે પૂછયું: મહાનિર્ધામક કેણ છે?
ગોશાલકે કહ્યું: શ્રમણભગવાન મહાવીર મહાનિર્ધામક છે.
સદાલપુત્તે પૂછ્યું: શાથી તે મહાનિર્ધામક છે?
ગોશાલકે કહ્યું : હે દેવાનુપ્રિય! આ સંસારરૂપી મહાસમુદ્રમાં નાશ પામતા, ડૂબતા અને ગળકાં ખાતા જીને ધર્મરૂપી નાવ વડે પાર ઉતારીને નિર્વાણને કાંઠે પહોંચાડનારા છે, તેથી તે મહાનિર્ધામક છે. [૨૧૮)
ગશાલ પાસે આ વાત સાંભળીને સદ્દાલપુત્તે કહ્યું કે, હે દેવાનુપ્રિય! તમે આ પ્રકારના ચતુર છે, દક્ષ છે, વક્તા છે, શિક્ષણ પામેલા છે, તાર્કિક છે, વિજ્ઞાની છે, તે તમે મારા ધર્મોપદેશક ધર્માચાર્ય મહાવીર સાથે વિવાદ કરી શકશે?
ગશાલે કહ્યું? ના! સદાલપુત્તે પૂછયું: શાથી?
ગોશાલકે કહ્યું : હે સદ્દાલપુત્ત! જેમ કેઈ એક તરુણ, પૂરા કદન, કુશળ અને ચતુર પુરુષ જ્યારે એક મોટા બકરી, ઘેટાને, કૂકડાને, તેતરને, બટેરાને, લાવરીને, કબૂતરને, કપિંજલને, કાગડાને કે બાજને હાથ, પગ, ખરી, પૂછડી, પીંછાં, શીંગડાં કે રુંવાડાંમાંથી ગમે તે અંગમાંથી
૧. કુવં !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org