________________
૧૦૦ ભગવાન મહાવીરના દશ ઉપાસકે પકડે, ત્યારે તે જરાપણ હાલી ચાલી શકતું નથી; તે જ પ્રમાણે શ્રમણભગવાન મહાવીર મને અર્થો, હેતુઓ, અને વ્યાકરણ દ્વારા જ્યાં જ્યાં પકડે ત્યાં ત્યાં હું નિરુત્તર થઈ જાઉં; તેથી હું તારા ધર્માચાર્ય સાથે વિવાદ કરી શકું તેમ નથી. [૧૯]
પછી સદાલપુરે કહ્યું : હે દેવાનુપ્રિય! તમે મારા ધમાચાર્ય મહાવીરનું સાચા તથ્યભાવથી ગુણકીર્તન કરે છે, માટે હું તમને પાટિયાં, સંથારે, શય્યા વગેરે માટે નિમંત્રણ આપું છું. જોકે, તેમાં હું ધર્મ કે તપ સમજતો નથી. માટે તમે જાઓ અને મારી દુકાનમાંથી જે કાંઈ જોઈએ તે લઈને સુખે સુખે રહો. [૨૦]
ગોશાલક તેની દુકાનમાંથી જોઈતી વસ્તુઓ લઈને રહેવા લાગ્યું. પરંતુ જ્યારે તે વિવિધ કથને, પ્રતિપાદનો, વિજ્ઞાપને, કે નિવેદનથી પણ સાલપત્તને જૈન સિદ્ધાંતમાંથી ચલિત ન કરી શક્યો, ત્યારે તે થાકીને પલાસપુરમાંથી નીકળી, બહારના પ્રદેશમાં ચાલ્યા ગયે. [૨]
હવે શ્રમણોપાસક સદ્દાલપુત્તને પોતે સ્વીકારેલાં શીલવ્રત અને ગુણવ્રતને પાળતાં ૧૪ વર્ષ વીતી ગયાં. પંદરમાં વર્ષની અધવચ, તે શ્રમણભગવાન મહાવીર પાસેથી જાણેલા ધર્મમાર્ગ અનુસાર પૌષધશાળામાં રહેતો હતો, તેવામાં એક દેવ મધ્યરાત્રીએ ઉઘાડી તલવાર સાથે આવીને તેને કહેવા લાગ્યોઃ “જો તું આ શીલવ્રત અને ગુણવતને નહીં છેડે, તો હું તારા ત્રણ પુત્રોને વારાફરતી “તારી સામે કાપીને કકડા કરી, કઢાઈમાં તળીશ; અને તેમનું લેહી તારા શરીર ઉપર છાંટીશ.” [૨૨૩-૫ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org