________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે ત્યાર બાદ ગોશાલે ફરી કહ્યું : હે દેવાનુપ્રિય! અહીં મહાસાર્થવાહ પધાર્યા છે.
સદાલપુત્તે પૂછયું? મહાસાર્થવાહ કોણ છે? ગશાલકે કહ્યું: શ્રમણભગવાન મહાવીર મહાસાર્થ
સાલપુરૂ પૂછ્યું: શાથી તે મહાસાર્થવાહ છે?
ગશાલકે કહ્યુંઃ આ સંસારરૂપી અટવીમાં નાશ પામતા ને ધર્મરૂપી પંથ વડે નિવણરૂપી મોટા નગરમાં સ્વહસ્તે પહોંચાડે છે, માટે તે મહાસાર્થવાહ છે.
ત્યાર બાદ શાલે ફરીથી કહ્યું. હે દેવાનુપ્રિય! અહીં મહાધર્મકથી પધાર્યા છે. સદ્દાલપુને પૂછ્યું: મહાધર્મકથી કોણ છે?
શાલકે કહ્યું: શમણુભગવાન મહાવીર મહાધર્મકથી છે.
સદાલપુત્તે પૂછ્યું : શાથી તે મહાધર્મકથી છે? ' શાલકે કહ્યુંઃ આ અગાધ સંસારમાં નાશ પામતા, ઉન્માર્ગે ચડેલા, સન્માર્ગથી ભ્રષ્ટ થયેલા, મિથ્યાત્વના બળથી પરાજિત થયેલા, અને આઠ પ્રકારનાં કર્મોરૂપી અંધારાના પડળથી આવૃત્ત એવા જીને સમજૂતી અને
૧. વસ્તુના યથાર્થ શ્રદ્ધાનને અભાવ, અને વસ્તુનું અથાર્થ શ્રદ્ધાન.
૨. જ્ઞાન આવરનારાં “જ્ઞાનાવરણ, દર્શને આવનારાં દર્શનાવરણ, સુખ કે દુઃખ અનુભવાવનારાં “વેદનીય', મેહ પામડનારાં “મોહનીય', ભવધારણ કરાવનારાં “ આયુષ', વિશિષ્ટ ગતિ-જાતિ-પ્રાપ્ત કરાવનારાં “નામ”, ઉચ્ચપણું-નીચપણું પમાડનારાં “ગેત્ર', અને દેવા-લેવામાં વિધ્ર ઊભાં કરાવનારાં “અંતરાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org