________________
628
– ૩ – બંધન જાણો ! બંધન તોડો ! - તેમણે જૈનશાસનનું અને એનાં એક એક અંગોનું રખોપું કર્યું હતું.
આમ છતાં એ દરેક મહાપુરુષોએ પ્રભુ પાસે કેવા કેવા એકરાર કર્યા છે, તે જાણો તો ખબર પડે કે આજે આપણે કેવી ખોટી મોટાઈમાં મરી રહ્યા છીએ.
પૂજ્યપાદ આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે કહ્યું કે “ભગવંત, આજના કાળમાં જો અમને તારું આગમ ન મળ્યું હોત તો દુષમકાળના દોષથી દુષિત બનેલા, અનાથ એવા અમારું શું થાત !'
“ભગવંત ! છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનકની પરિણતિ જોતાં મને એમ લાગે છે કે હું તેનાથી ઘણો દૂર છું. મારા હૃદયમાં સંવિગ્નતાનો પક્ષ જરૂર છે, પણ હજુ તેવી સંવિગ્નતા મારામાં પ્રગટી નથી.”
કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના ગુરુદેવ પૂજ્ય આચાર્યશ્રી દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજે ભગવાનને ઉદ્દેશીને કર્યું કે “ભગવદ્ ! તારા શાસનમાં અમે પથરા જેવા પાક્યા છીએ ! આટઆટલાં આક્રમણો તારા શાસન સામે આવે છે, આમ છતાં લાચાર એવા અમે કાંઈ કરી શકતા નથી.”
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “અધ્યાત્મસાર' નામના ગ્રંથમાં આંતરિક પરિણતિનું નિરીક્ષણ કરી પ્રભુ સાથે એનો એકરાર કરતાં કહ્યું છે કે –
'अवलम्ब्येच्छायोगं, पूर्णाचारासहिष्णवश्च वयम् ।
भक्त्या परममुनीनां तदीयपदवीमनुसरामः ।।' ‘ભગવંતના શાસનના શ્રમણ-જીવનના સંપૂર્ણ આચારોનું પાલન કરવા માટે અમે અસમર્થ છીએ. આમ છતાં એ પરમ મુનિ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને ઈચ્છાયોગના આલંબન દ્વારા અમે પ્રભુના માર્ગનું અનુસરણ કરીએ છીએ.' 'सिद्धान्तस्तदङ्गानां, शास्त्राणां च सुपरिचयः शक्तया । परमालम्बनभूतो, दर्शनपक्षोऽयमस्माकम् ।।' આગળ વધીને તેઓશ્રી કહે છે કે, પૂર્ણાચારનું પાલન કરવા જ્યારે અમે અસમર્થ છીએ ત્યારે “સિદ્ધાંત અને એના અંગભૂત શાસ્ત્રોનો શક્તિ અનુસાર સાચો બોધ કરવો. આ રીતે દર્શન પક્ષ (એટલે કે સમ્યગ્દર્શનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org