________________
૨૦
૩ બંધન જાણો ! બંધન તોડો !
પણ અમે જોયાં છે.
લગ્નના દાયજામાં ધારણા મુજબનો પૈસો ન મળ્યો તો સારામાં સારા ઘર સાથે બાંધેલા સંબંધોને તૂટતાં અને એ નિમિત્તે લગ્નવિચ્છેદ થતા પણ જોયા છે. કોઈપણ ઉત્તમ કાર્યમાં વિક્ષેપ પાડવાની તાકાત આ પૈસામાં છે. આ પૈસાના કારણે તો ઘણાંનો વ્યાખ્યાનમાં ય વિક્ષેપ થઈ જાય. આગળ આવીને બેઠો ને ખબર પડે કે મોટી ટીપ આવી છે, મોભા મુજબ લખાવવું પડશે, તો હળવે રહીને સરકી જાય. બરાબર વિચારો !
572
સભા : આ બધું જાણવા છતાં સંતોષ કેમ થતો નથી ?
આ બધું સાંભળ્યા પછી એના ઉપર ઊંડું મંથન કરીને એને સમજવું અને સમજ્યા પછી એને છેક પ્રતીતિના સ્તર સુધી લઈ જવું જરૂરી છે. જ્યાં સુધી આ બધી વાતો પ્રતીતિના સ્તરે નહિ પહોંચે ત્યાં સુધી જેવો પ્રગટવો જોઈએ તેવો સંતોષ નહિ પ્રગટે. થોડું વધારે સ્પષ્ટ કરું તો તમે આ બધી વાતો સાંભળો છો.
આ બધી વાતો તમને ગમે પણ છે, એ તમારો ગુણ છે. પણ એને મન ઉપર લઈને જે રીતે અર્થની અનર્થકારિતાનો વિચાર કરવો જોઈએ, તે આજ સુધી કર્યો નથી અને જે પણ વિચાર્યુ છે; બધું ઉંધું વિચાર્યું છે, માટે સંતોષ પ્રગટતો નથી. આજ સુધી તમે એ વિચાર્યું છે કે, પૈસો છે તો બધું છે. ‘સર્વે શુ: कांचनमाश्रयन्ते'
Jain Education International
બધા ગુણોનું મૂળ - સર્વ સુખનું મૂળ એ પૈસો છે - એમ વિચાર્યું છે. વિધાનોનો મર્મ સમજો ! :
સભા : પણ - સાહેબ એ વાત તો સાચી જ છે કે, ‘વસુ વિનાનો નર પશુ.’
વાહ ! આ ભાઈ અમારા ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે, ‘તમે બધા પશુ જેવા છો.’ કારણ કે અમે બધા પૈસા વિનાનાં છીએ. કેમ ખરું ને ? અમે બધા પશુ અને તમે બધા ? માનવ ! તો પછી અમને પશુઓને ઉપર શું કામ બેસાડ્યા છે ? પહેલાં એ સમજો કે આ બધાં મિથ્યાવચનો છે.
સભા : સાહેબ ! આપ અમારા કહેવાનો મર્મ ન સમજ્યા.
જો તમારા કહેવાનો હું મર્મ ન સમજ્યો હોઉં તો સમજાવો. મારી એ સમજવાની તૈયારી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org