________________
૨૪૪
૩ બંધન જાણો ! બંધન તોડો !
ધર્મને અધર્મ માને અને
-
૩
૪ - અધર્મને ધર્મ માને.
૫ - મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને અને
–
૬ - ઉન્માર્ગને મોક્ષમાર્ગ માને.
૭ - ખરેખર જે સાધુ હોય તેને અસાધુ માને અને
૮ - અસાધુ હોય તેને સાધુ માને.
૯ - જે મુક્ત થઈ ગયા છે, તેને અમુક્ત માને અને
જે મુક્ત થયા જ નથી, તેને મુક્ત માને.
–
૧૦
આ દશે દશ પ્રકારના મિથ્યાત્વની માન્યતાવાળા જીવો જગતમાં હોય છે. આમાંના સાતમા અને આઠમા નંબરનું મિથ્યાત્વ જબરું છે. એ સાધુપણા સાથે સીધો સંબંધ ધરાવે છે. વીતરાગનો સાધુ જ્યારે સાધુપણાની જ વાત કરે, ત્યારે ઘણાંને લાગે કે જે સાધુ સંસારની એક પણ વાત ન કરે, સંસારનાં એક પણ કામ ન કરે અને માત્ર સાધુપણાની જ વાત કરે, તે સાધુ કામનો શું ? અને જે સાધુ પોતાના સાધુપણાને નેવે મૂકીને સંસારની વાત કરે, સંસારીઓના સંસા૨ની ચિંતા કરે તો લાગે કે આ ખરો સાધુ છે. આ જ સમયજ્ઞ છે. આ સાતમા અને આઠમા નંબરનું મિથ્યાત્વ છે. તમને પૂછી લઉં ? તમને કયો સાધુ ગમે ? ચોખ્ખું બોલજો, સાચું બોલજો, અંદર હોય તે જ બોલજો, ગોળ-ગોળ નહિ બોલતા.
Jain Education International
796
તમે કોણ ? ખોખું એ તમે ? મકાન એ તમે ? કપડાં એ તમે ? દર-દાગીના એ તમે ? રૂપિયા એ તમે ? કે એ બધાથી જુદા તમે ? તમે કોણ ? અમે કોની ચિંતા કરીએ તો તમને ગમીએ ? તમારા આત્માની, આત્મિહતની કે પછી તમારાં ખોખાં, મકાન, કપડાં, દર-દાગિના અને રૂપિયાની ?
સભા : સાધુ મહારાજ સાધર્મિકને મદદ કરવાની ચિઠ્ઠી લખીને આપે તો ?
એ અમારાથી અપાય ? આ કામ અમારું નથી, આ કામ તમારું છે, પણ તમે જ્યારે એને ઉભો નથી રાખતા, ત્યારે એ રડતો-૨ડતો અમારી પાસે આવે છે. અમે કહીએ, અમારી પાસે તો કાંઈ નથી, આ માટે તમારે શ્રાવકો પાસે જવું જોઈએ અમારી આ વાત સાંભળી એ શ્રાવકો પાસે જાય. પણ તમે શ્રાવકો એની પાસે ચિઠ્ઠી માંગો. ચિઠ્ઠી વગર ઉભા પણ ન રાખો. એટલે પેલો પાછો રડતો
For Private & Personal Use Only
www.jainelibrary.org