________________
૨૨૩ – ૯ : માયા દેખી મુનિવર ચળે અર્થની અનર્થકારિતા - 32 – 775 એમાંથી કોઈને આત્માનું અસ્તિત્વ જ સમજાતું નથી, તો કોઈને આત્મા પંચભૂતમય છે, એવો ભ્રમ થયો છે પણ પંચભૂતથી અતિરિક્ત આત્મા છે એ જ સમજાતું નથી, તો કોઈને આત્મા કર્મોથી બંધાય છે અને પરલોકગામી , એ બેસતું નથી, તો કોઈને આત્મા કર્મોથી મુક્ત થઈ શકે તે તે બેસતું નથી. એ જ રીતે કોઈને આત્મા અનાદિઅનંત છે, એ કર્મોથી બંધાય છે અને છૂટે છે, એ બેસતું નથી.
આવી અનેક જાતની વિષમતાથી ઘેરાયેલા નાસ્તિકો અને દાર્શનિકોની કેવી કેવી ભ્રમણાઓ છે. એ ભ્રમણામાં એ ભ્રમણાના વમળમાં ફસાઈને કોઈ સાધક સંસારમાં રખડી ન જાય તે માટે ભગવાનશ્રી મહાવીરે જે સાવચેતીનો સૂર સંભળાવ્યો છે, તે હવે આપણે શ્રી સુધર્માસ્વામીજીના પાવન મુખે સાંભળવાનો છે. તે હવે પછી ક્રમશઃ જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org