________________
૮ઃ ઘર્મ અને ઘર્માનુષ્ઠાનમાં મોટો ફરક છે
અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ દ્વાદશાંગી પૈકીના બીજા અંગ આગમ શ્રી સૂયગડાંગજી સૂત્રના માધ્યમથી આપણી ચેતનાને જાગ્રત કરવા આપણા આત્માને ઢંઢોળ્યો છે અને આપણને આત્મસ્વરૂપનો બોધ કરાવીને આત્માને લાગેલાં બંધનોને જાણવાનો અને તોડવાનો ઉપદેશ આપ્યો છે.
શ્રી સુધર્માસ્વામીજીએ જ્યારે આ ઉપદેશ શ્રી જંબુસ્વામીજીને આપ્યો ત્યારે તેમણે અતિ વિનમ્રભાવે પૂછયું કે, “ભગવંત ! ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું છે અને શું જાણીને તે બંધનોને તોડી શકાય છે ?' તેના જવાબમાં શ્રી સુધર્માસ્વામીજીએ ત્રણ બંધનો બતાવ્યાં. જેમાં પહેલું બંધન પરિગ્રહ છે, બીજું બંધન હિંસા છે અને ત્રીજું બંધન મમતા છે. બંધન તોડે તે કર્મોથી છૂટે :
પરિગ્રહમાં સચિત્ત કે અચિત્ત એટલે સજીવ કે નિર્જીવ પદાર્થના સંગ્રહને બંધન તરીકે ઓળખાવ્યો છે.
નિર્જીવ પરિગ્રહમાં જર-જમીન એટલે કે ધન-સંપત્તિ, દર-દાગીના વગેરે અને જમીન વગેરે, મકાન ને ફર્નિચર વગેરે આવે. જ્યારે સજીવ પરિગ્રહમાં પશુ-પક્ષી, દાસ-દાસી વગેરેમાંથી જેનો સંગ્રહ કરો તે બધું એમાં આવે.
સામાન્યપણે આપણે ત્યાં નવ પ્રકારના બાહ્ય-પરિગ્રહની વાત જણાવેલ છે. દશવૈકાલિક નિર્યુક્તિ'માં ૧ - ધાન્ય, ૨ – રત્નો, ૩ - સ્થાવર, ૪ - દ્વિપદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org