________________
૧૦૮
૩ બંધન જાણો ! બંધન તોડો !
-
‘આવશ્યક સૂત્ર’માં ‘અસંયમ’ અને ‘અતપ’ ને ‘દુ:ખશય્યા’રૂપે પ્રભુએ કહેલ છે. હિંસાદિ અસંયમથી ક્યારેય સુખશાતા મળતી નથી, પણ દુ:ખશાતા જ મળે છે. વિજળીને નિર્જીવ કહેનારા સ્વચ્છંદી છે :
660
સભા : સામાયિકમાં સેલવાળી ઘડીયાળો રાખીએ તો હિંસા લાગે ?
અહીં બેસનારા વિવેકીને કહેવાની જરૂ૨ નથી. એ અધિકરણ જ છે. એનાથી ચોક્કસ પાપ લાગે જ. પણ જેને હજી પંચેન્દ્રિય જીવોની હિંસામાં સંવેદના ન થતી હોય, પંચેન્દ્રિય મનુષ્યની હત્યામાં પાપ છે, એવું લાગતું ન હોય, ત્રસકાયની હત્યામાં પાપની સંવેદના ન હોય, જેનામાં સંવેદના સ્પષ્ટ દેખાય છે, એવી વનસ્પતિને કાપવા કરવામાં જેને હિંસા દેખાતી ન હોય તેને જેની સંવેદના સ્પષ્ટ દેખાતી નથી, એવા એકેન્દ્રિય જીવના વ્યવહારમાં હિંસા શી રીતે સમજાશે ? એવા લોકોને તો એકેન્દ્રિય જીવોની હિંસા ગળે ઉતારવી એટલે ધર્મોપદેશક માટે નવ નેજે પાણી ઉતારવા જેવું છે.
વનસ્પતિમાં જીવ છે, એ સમજાવવું હજી પણ સહેલું છે, પણ પૃથ્વી-પાણીઅગ્નિ-વાયુ એ પોતે જીવ છે, તે સમજાવવું કપરામાં કપરું છે.
તમને જો સર્વજ્ઞ વીતરાગ પરમાત્માની સર્વજ્ઞતા અને વીતરાગતા પ્રત્યે શ્રદ્ધા હોય તો પણ તમારે માનવું જોઈએ કે, આમાં જીવ છે, આની હિંસા ન કરવી જોઈએ.
કાં તો તમે બાપના હોંશિયાર - ડાહ્યા દીકરા નો, નહિ તો છેવટે બાપના કહ્યાગરા દીકરા બનો ! બેમાંથી એક પણ ન બની શકો તો બાપ તમારું કલ્યાણ શી રીતે કરી શકે ?
Jain Education International
કાં તો તમે સ્વયં ભણી-ગણીને શાસ્ત્રના પારગામી બનો ! અને જ્યાં સુધી એ ક્ષમતા ન આવે ત્યાં સુધી જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ રાખી એમના કહ્યા મુજબ જીવન જીવવાનો નિર્ધાર કરો !
સભા : વીજળી ચિત્ત નથી ઊર્જા છે, એમ પ્રરૂપણા થાય છે.
આવું કહેનારા સ્વચ્છંદી છે, ધર્મશાસ્ત્રોથી નિરપેક્ષ બનેલા છે. આગમોનાં સંશોધનો કરવાનો દાવો કરવા છતાં એ આગમોના આધારે એ પોતાની વૃત્તિનું શોધન પણ નથી કરી શક્યા.
આગમમાં કહેલ મૂર્તિને માનવી નહિ. સ્થાપના નિક્ષેપાને સ્વીકારવો નહિ.
For Private & Personal Use Only
www.jainelibrary.org