SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ આતમ જાગો ! લગ્ન કરતાં પણ સમકિતીઆત્મા નિર્જરા કરે તે આવા પરિણામથી. એમને થયું કે ‘આવતી કાલે દીક્ષાનો વરઘોડો એવો કાઢું કે આ બધાનું લગ્નની પ્રશંસાથી બંધાયેલું બધું પાપ ધોવાઈ જાય, નિચોવાઈ જાય.' ८० ૨ 360 સમકિતી જીવ પોતે પાપ બાંધતો નથી અને એનું ચાલે તો કરવા, કરાવવા, અનુમોદવા દ્વારા બીજા જીવો જે પણ પાપ બાંધતા હોય તે જીવોને તે પાપોથી છોડાવવા દ્વારા પાપથી મુક્ત કરવાની ચિંતા કરે છે. પોતે બંધન ઊભું કરતો નથી ને બીજાનાં બંધનોને તોડવાની ભાવના સેવે છે. જંબૂકુમારની પણ આ જ દશા હતી. યોગની છઠ્ઠી ષ્ટિને વરેલા એ પુણ્યાત્મા હતા. એવા આત્માનું સમ્યગ્દર્શન અતિશય નિર્મળ હોય છે તેના સહારે જેટલાં ભોગનાં સાધનો વધારે મળે, ભોગનાં નિમિત્તો વધારે તેટલી તેની વૈરાગ્યધારા વધારે સુદૃઢ બનતી જાય છે. જંબૂકુમારનું એક એક પગલું દેખીતી રીતે ભલે લગ્નની ચોરી ત૨ફનું મંડાતું હતું પણ વાસ્તવિક અર્થમાં તે પગલાં સર્વવિરતિ તરફનાં હતાં. એમના ચોરીના ચાર ફેરા ચારગતિ ફેરાઓને કાપવા માટેના હતા. એક કવિએ યોગની છઠ્ઠી દૃષ્ટિને વરેલા તીર્થંકરોનાં લગ્ન વેળાનું ગીત બનાવ્યું છે. ‘આ લગ્ન છે, બંધન નથી પણ મુક્તિનો એકરાર છે.' જે વસ્તુ જંબૂકુમાર માટે પણ એમની ભૂમિકા અનુસાર જરૂર લાગુ પડતી હતી. આજે તો મોટા ભાગના જીવોની અવદશાનો વિચાર કરતાં એમ લાગે કે એમણે વગર લગ્ન કર્યે કેટલાં બંધન ઉભાં કર્યાં હશે ? કેટલીય મનોરથ માળાઓ રચી હશે ? કેટલાંય આર્તધ્યાન એની પાછળ કર્યાં હશે ? જ્યારે આ પુણ્યાત્માને ઉગતી વય છે, અનુપમ રૂપ છે, વિપુલ ભોગ સામગ્રી છે. સામે આઠ-આઠ પત્નીઓ અનુકૂળ અને સમર્પિત છે, છતાં નિરાગી છે, વિરાગી છે, અલિપ્ત છે. જંબૂકુમાર લગ્ન કરવા છતાં લગ્નના બંધનથી મુક્ત હતા. લગ્નગ્રંથિથી બંધાવા છતાં, લગ્નની ક્રિયા કરવા છતાં, યોગમાર્ગમાં લીન હતા. લગ્નની પ્રશંસા કરનારનાં પણ કર્મનાં બંધન તોડવાના ભાવમાં રમી રહ્યા હતા. આ સ્થિતિમાં લગ્ન કર્યા પછી રાત્રે નવે નવ જણ ભેગાં થયાં. Jain Education International ધર્મી આત્માના વાર્તાલાપ પણ કેવા ? : આઠેય નવોઢાઓ દરેક રીતે સજ્જ થઈને બેઠી હતી. આઠેયના હાથમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy