________________
૪ : દીપ સે દીપ જલે ઃ પ્રવર વૈરાગી જંબૂસ્વામી - 17
અબજોપતિના એકના એક દીકરાના લગ્નનો આ પ્રસંગ કેવો ઉજવાયો હશે ? એ માટેની તૈયારીઓ કેવી કરાઈ હશે ? વરઘોડો કેવો નીકળ્યો હશે ? આ બધું આંખ સામે લાવજો. આ બધી વાતો કરીને તમને લગ્ન પ્રસંગના માહોલમાં તાણી જવા નથી. તમને એ જણાવવું છે કે, જેનાં લગ્ન પણ આવાં લેવાયાં હશે તેણે પણ સાપ જે સહજતાથી કાંચળી ઉતારે તેવી સહજતાથી આ સંસારનો ત્યાગ કર્યો તો તેનો વૈરાગ્ય કેટલો પ્રબળ અને પ્રબુદ્ધ હશે ?
૩૯
—
અપાર સંપત્તિ હતી, જીવનનો પહેલો કે છેલ્લો અવસર હતો. સામે પણ એવા જ શ્રીમંત પરિવારો હતા. અનેક શ્રીમંતોને, સ્વજનોને નિમંત્ર્યા હતા. તે જમાનાનાં સ્વજનો પણ લુખ્ખાં ન હતાં. જે આવતાં તે બધું પહેરી, સજી-ધજીને આવતાં. દરેકનાં શરીર સોના, હીરા, માણેક, મોતીથી લદાયેલાં રહેતાં. મહોત્સવ મંડાયો. આંગણે માંડવો રોપાયો, સ્નેહી સ્વજનોની વણથંભી વણઝાર આવવા લાગી. હૈયે હૈયું દબાય એવું માનવ-મહેરામણ ઉભરાયું. લગ્નના દિવસે વરઘોડો ચડાવાયો, એક સામગ્રીને જુવો ને બીજીને ભૂલો, એવી સામગ્રીઓના ઢેર ખડકાયા. ગામ-ગામના માણસો જોવા ઉભરાયા. વરઘોડો જોતાં જ લોકો મોઢામાં આંગળા નાંખવા લાગ્યા અને બે મોઢે વખાણ કરવા લાગ્યા.
359
લોકો પાપ ન બાંધે : એ સમકિતીની ચિંતા :
લોકોના મોઢે લગ્ન પ્રસંગ અને આ વરઘોડાનાં વખાણ સાંભળી જંબૂકુમારને થયું કે, ‘કર્મ યોગે લગ્ન મારે કરવાં પડે છે અને આ પ્રસંગની અનુમોદના કરી કરીને પાપ આ લોકો બાંધે છે.’ આવતી કાલે દીક્ષાનો વરઘોડો એવો કાઢું કે આ બધાનું લગ્નની પ્રશંસાથી બંધાયેલું બધું પાપ ધોવાઈ જાય, નિચોવાઈ જાય.
Jain Education International
લગ્ન એ લહાવા લેવાની ચીજ છે કે ન છુટકે, કર્મયોગે કરવાની ચીજ છે ? આજ તો દેવું કરીને લગ્ન કરે. તોય છાતી કાઢીને ફરે અને કહે, કે કેમ ? કેવું લાગે છે ? અને મોટા ભાગના લોકોનો એ સ્વભાવ હોય છે કે પૂછે તો ‘ગજબગજબ કરે' અને પાછળ ‘કશો ભલીવાર નથી’ એમ બોલે. આમ છતાં આવી ખોટી પ્રશંસા સાંભળીને પણ ઘણા લોકોની છાતીના સેન્ટીમીટર વધવા લાગે. અહીં તો લોકો સહજભાવે હૃદયના ઉલ્લાસથી પ્રશંસા કરતા હતા. આમ છતાં લોકો દ્વારા કરાતી લગ્ન પ્રસંગની પ્રશંસા સાંભળીને પણ જંબૂકુમારને વ્યથા થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org