________________
૭૮
૨ - આતમ જાગો !
–
358
બોલો ? તેમના તે વખતના વ્યવહારો - વ્યવહાર શૈલી પણ કેવી હશે ? આઠેયનાં મા-બાપે કહ્યું “અમે દીકરીને મળીએ, વાત કરીએ પછી જવાબ આપીએ.”
આઠેયનાં મા-બાપે દીકરીઓને બોલાવીને વાત્સલ્યથી કહ્યું. ‘તમારા માટે ઉત્તમ ઘર શોધ્યું હતું, ઉત્તમ વર શોધ્યો હતો. તમારા સુખની ચિંતા કરી હતી; પણ અચાનક પરિસ્થિતિ પલટાણી છે. જંબૂકુમાર વિરાગી બન્યા છે. દીક્ષાની રઢ લઈને બેઠા છે. માતા-પિતાના આગ્રહથી લગ્ન માટે તૈયાર થયા છે. પણ “આજે લગ્ન અને કાલે દીક્ષા' ત્યાં સુધી વાત આવીને ઉભી છે. આ પરિસ્થિતિમાં હવે આપણે શું કરવું? બેટા ! આ નિર્ણય હવે તમે જ લ્યો, તમારા જીવનનો સવાલ છે. શું કરવું? વિચારી લો. હજુ કાંઈ બગડ્યું નથી. બાજી હજી આપણા હાથમાં છે.'
ન જાણે એમા-બાપે દીકરીઓને કેવા સંસ્કાર આપ્યા હશે ?એ દીકરીઓએ કેવા સંસ્કાર ઝીલ્યા હશે ? એમની વિચારધારા ઉપર વિવેકનો કેટલો અંકુશ હશે ? એ આ પ્રસંગે તેમના મુખમાંથી નીકળેલા ઉદ્ગારો ઉપરથી સમજાય તેવું છે.
આઠેએ કહ્યું “અમે મનથી એમનો સ્વીકાર કરી લીધો છે, એટલે આ જીવનમાં હવે બીજા કોઈ વિચારને અવકાશ નથી. મનથી એકવાર પણ જેનો સ્વીકાર કર્યો તેને મૂકીને જીવનમાં બીજાનો વિચાર પણ શી રીતે થઈ શકે ? આ ભવમાં લગ્ન કરશે તો તેમની સાથે જ, લગ્ન પછી રાખવાની મહેનત કરશું. રહેશે તો ઠીક અને જો નહિ રહે તો જે એમનો માર્ગ એ જ અમારો માર્ગ.'
આ ઘટના ઉપર શાંતિથી વિચાર કરો ! જંબૂકુમાર અને આઠેય કન્યાની પરિસ્થિતિ અને ભૂમિકા વચ્ચેના ભેદને તપાસો તો તમને સમજાશે કે જંબૂકુમાર તો મહાન છે જ, પણ આ આઠ કન્યાઓ પણ કેટલી મહાન છે ?
જંબૂકુમારે તો ધર્મદેશના સાંભળી છે, તેમને વૈરાગ્ય જન્મ્યો છે; આઠેય કુમારિકાઓએ જ્યારે કોઈ ધર્મદેશના સાંભળી નથી, એમને વૈરાગ જાગ્યો નથી. ઉપરથી સંસાર સજાવવાનાં સોણલાં જ એમણે સેવેલાં છે. છતાં મર્યાદા ઓળંગવાનો વિચાર પણ નથી.
દીકરીઓનો જવાબ સાંભળી માતા-પિતાની આંખો હર્ષાશ્રુથી સજળ બની, ઋષભદત્ત શ્રેષ્ઠીને લગ્ન લેવા સંમતિ અપાઈ અને લગ્ન મહોત્સવનાં મંડાણ થયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org