________________
૪ : દીપ સે દીપ જલે : પ્રવર વૈરાગી જંબુસ્વામી – 17
આજની જ રાત હતી. કાં તો કાલથી સંસારની શરૂઆત, નહીં તો કાલે જ સંસારનો અંત. એની એમને બરાબર ખબર હતી. એટલે જંબૂકુમાર આવતાં જ આઠેય નવોઢાએ પોતાની પ્રીતિ અને ભક્તિના વ્યવહારોથી જંબૂકુમારને બંધનમાં પલોટી લેવાનો મનસૂબો સેવ્યો હતો.
૮૧
જંબૂકુમાર સાથે આઠેય નવોઢાએ જે સંવાદ સાધીને બંધનને સુદૃઢ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એ આઠેય સાથે જંબૂકુમારે જે સંવાદ કરીને નિર્બંધતાનો માર્ગ સાધ્યો હતો, તેનું અદ્ભુત વર્ણન કલિકાલસર્વજ્ઞ પ્રભુએ કર્યું છે.
361
આઠેયનો પ્રયત્ન જંબૂકુમારને બાંધવાનો હતો અને પોતાની જાતને એમની સાથે જોડવાનો હતો. જ્યારે જંબૂકુમારનો પ્રયત્ન આઠેયથી પોતાની જાતને મુક્ત રાખીને આઠેયને મોહના બંધનથી, પ્રેમના પાશથી નિર્બંધ કરવાનો હતો.
આઠ બાંધવા અને બંધાવા ઈચ્છતી હતી. જંબૂકુમાર જાતે મુક્ત રહીને આઠેયને મુક્ત કરવા ઈચ્છતા હતા. એમાં વિજય જંબૂકુમા૨નો થયો હતો અને એ વિજયમાં સહભાગી બનવાનું પરમ સૌભાગ્ય આઠેય નવોઢાઓને સંપ્રાપ્ત થયું હતું.
કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો એ ઉપકાર છે કે પરિશિષ્ટ પર્વમાં જંબૂકુમાર અને તેમની આઠ પત્નીઓ વચ્ચેનો સંવાદ આલેખ્યો છે. પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ ‘જંબૂકુમારના રાસ'માં એ ભાવો ઢાળ્યા છે. એ વાંચતાં જ ખ્યાલ આવે કે આ આલાપ-સંલાપ વાર્તાલાપ અત્યંત વિવેકપૂર્ણ હતો. એમાં ક્યાંય ઔચિત્યનો ભંગ દેખાતો નથી તો ખોટા લાગણીવેડા પણ દેખાતા નથી. એમાં ક્યાંય ભોગવૃત્તિની નફટાઈ પણ દેખાતી નથી તો વ્યવહારની આછકલાઈ પણ વર્તાતી નથી અને રડારોળ જેવું નબળું વાતાવરણ પણ જણાતું નથી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ કે આરોપ-પ્રત્યારોપ પણ જોવા મળતો નથી. કજીયાની કોઈ ભાવના કોઈ પણ ભોગે પોતાનું ઈષ્ટ સાધવાની કોઈ હીનવૃત્તિ દેખાતી નથી કે હક-દાવાની કોઈ તુચ્છવૃત્તિ પણ દેખાતી નથી. પૂરો વાર્તાલાપ વિવેકપૂર્ણ અને તર્કબદ્ધ જણાય છે.
પહેલી પત્નીએ સંસારમાં શા માટે રહેવું જોઈએ તેની તર્કબદ્ધ રજૂઆત કરી છે અને દૃષ્ટાંતો દ્વારા સમજાવવાના પ્રયત્નો ર્યો છે. સામે જંબુકુમારે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org