________________
- ૨ - આતમ જાગો !
356
થઈને કરતા હોય. એમાં એક દિવસ વ્યાખ્યાન દરમ્યાન બાળદીક્ષાનો વિષય છેડાયો, એમાં કોઈ બાળ મુમુક્ષુને જોઈને એ વર્ષોના ધર્મક્રિયા કરનાર વડીલ ગણાતા ભાઈ બોલ્યા કે, “મને ૬૦-૬૦ વર્ષ થયાં રોજ વ્યાખ્યાન સાંભળું છું, સામાયિક પૌષધ કરું છું. હજુ મને વૈરાગ્ય નથી થયો ને આ ટેણિયાને થઈ ગયો ? ભોળવાઈ ગયો છે.” ભર વ્યાખ્યાનમાં એણે આ અંગે પ્રશ્નો કર્યા. મહારાજ સાહેબે બધા જવાબો આપ્યા. એમની પાસે કોઈ પ્રશ્ન રહ્યો નહિ; છતાં છેવટે ભર સભામાંથી વ્યાખ્યાન છોડીને ચાલ્યા ગયા. માટે તમને કહું છું તમે તમારા આત્માને પૂછી જુઓ ! તમારી પરીક્ષા કરી જુઓ, તમારા મોહને પીછાણી જુઓ, વિવેક ઉપર નજર કરી જુઓ કે મારા જીવનમાં, મારા પરિવારમાં આવો પ્રસંગ આવે તો હું શું કરું ?
ઋષભદત્ત શ્રેષ્ઠી અને મા ધારિણીએ જંબૂકુમારને સમજાવતાં કહ્યું, “દીકરા, સંસારમાં મજા નથી. આ વાત સાચી છે. દીક્ષા જ લેવા જેવી છે. તેને મનોરથો જાગ્યા તે ઉત્તમ છે, પણ અમારા મનોરથોનું શું ? તું એકનો એક દીકરો છે ! તારા માટે અમારી કેવી લાગણી ને મનોરથો છે ? અમે કેટ-કેટલાં અરમાનો કર્યા છે ? કેટલા કોડથી આઠ-આઠ કન્યાઓએ તારી સાથે વેવિશાળ કર્યું છે. તારે જવું જ છે તો તો તું જવાનો જ ! જ્યારે પંખીને પાંખ આવે ત્યારે કોઈ તેને બાંધી શકતું નથી. પણ અમે તારાં માવતર છીએ. અમારી પણ કાંઈક લાગણી છે. એકવાર અમારી ઈચ્છા પૂરી કર ! નક્કી કરેલી આઠે ય કન્યાઓ સાથે એકવાર લગ્ન કર પછી તારી જેવી ઈચ્છા હોય તેમ કરજે.”
આખા વાર્તાલાપમાં સંયમ માટે, સાધુપણા માટે, સાધનામાર્ગ માટે, મોક્ષ માટે, કે ગુરુ માટે એક નબળું વેણ કાઢયું નથી. માત્ર પોતાની લાગણીઓ - વ્યથા ને વેદનાઓની જ રજુઆત હતી. સંયમ કેટલું દુષ્કર છે, એની પણ વાત કરી. કોણ કોણ કેવી રીતે પડ્યા એની પણ વાત કરી. તારી કાયા કેવી સુકોમળ છે, તું આ સંયમનો ભાર શી રીતે વહન કરી શકીશ ? એ વાત પણ કરી; પણ સંયમ માટે, સંયમ આપનાર માટે કે સંયમ લેનાર માટે એક પણ નબળો શબ્દ ન બોલ્યા. કારણ કે એમને અવિરતિ ભલે પડતી હતી, પણ મિથ્યાત્વના પડછાયાથી એ દૂર હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org