________________
–
૨ – આતમ જાગો !
–
354
ગુરુ ભગવંતે આવો નિયમ આપ્યો હોય અને એથી અકળાઈને એ તમારા સંબંધી તેનો વિરોધ કરવા તમને લઈ આવે અને તમને કહે કે, “ચાલો મહારાજ સાહેબ પાસે થોડી વાત કરવી છે.” ત્યારે તમે શું કહો ? વ્રત-નિયમ આપનાર ગુરુભગવંત સાથે તમારો વ્યવહાર કેવો હોય ?
શ્રી સુધર્માસ્વામીએ જંબૂકુમાર સામે જોયું, એમની વિનંતી સાંભળી, એમના ઉપર અનુગ્રહ કર્યો અને જીવનભરના બ્રહ્મચર્ય વ્રતની મહાપ્રતિજ્ઞા કરાવી. આ પ્રતિજ્ઞા કરીને જંબૂકુમારે અતિ ધન્યતાનો અનુભવ કર્યો.
જેને ઘરે શ્રીમંતાઈની છોળો ઉછળતી હશે, આઠ-આઠ કોડભરી કન્યાઓ સાથે જેનું વેવિશાળ થયું હશે, તેના માટે મા-બાપે કેટલાં શમણાઓ સેવ્યાં હશે ? જેનાં મા-બાપે કેટલાંય શમણાઓ સેવ્યાં હશે તેનો એકનો એક દીકરો આ પ્રતિજ્ઞા લેતો હશે તે ક્ષણ કેવી હશે ?
તમે વર્તમાનને ભૂલી જાવ. ભૂતકાળમાં ચાલ્યા જાવ. તમારી જાતને, તમારા મનને, તમારી સમગ્ર ચેતનાને એ કાળમાં, એ ક્ષણમાં, એ ક્ષેત્રમાં, એ વાતાવરણમાં લઈ જાઓ અને એ ઘટનાને આત્મસાક્ષિક બનાઓ. તમારી જાત ધન્ય બની જશે. તમે અતિ અતિ ધન્યતાનો અનુભવ કરી શકશો. તમારો આતમ પણ પાવન થશે ! ચિત્તવૃત્તિ નિર્મળ અને સબળ બનશે. તમે તમારાં મોહનીય કર્મોને તોડી સાધના માટે સજ્જ બની શકશો. મોહની મૂચ્છ અને મુમુક્ષુનું કર્તવ્ય :
જંબૂકુમારે ઘરે આવીને મા-બાપને કહ્યું કે, “આજે શ્રી સુધર્માસ્વામીની ધર્મદેશના સાંભળવા ગયો હતો.” “દીકરા ! બહુ ઉત્તમ કર્યું,” તમે હો તો શું કહો ? તેમની એક-એક વાત મને હૃદય સોંસરી ઉતરી ગઈ.' મા-બાપે કહ્યું, “એ તારી યોગ્યતાનું પરિણામ છે દીકરા !'
આ પૂરો સંસાર, અસાર લાગી ગયો છે, એક ક્ષણ પણ રહેવા જેવો નથી, એવું મને લાગ્યું છે.'
વાત સાચી છે દીકરા ! આ સંસાર એક ક્ષણ પણ રહેવા જેવો નથી.' “પણ.... મેં તો નિર્ણય કર્યો છે કે, મારે હવે આ સંસારમાં એક ક્ષણ પણ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org