SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ - ૪ : દીપ સે દીપ જલે : પ્રવર વૈરાગી જંબૂવામી -17 - 353 સૈન્ય સાથે આવી રહ્યો છે. ક્યારે ચડાઈ કરશે ખબર નથી. તેનો સબળ સામનો કરવા માટે યોજના અમલમાં મૂકાઈ હતી. નગરના ધારો બંધ કરાયાં હતાં. અનેક પ્રકારની યાંત્રિક રચનાઓ કરાઈ હતી. કયું શસ્ત્ર ક્યારે સક્રિય બને અને કઈ તરફ ફંગોળાઈ, કોના, કેટલાના પ્રાણ લે તે કહેવું-સમજવું મુશ્કેલ હતું. જંબૂકુમારે પરિસ્થિતિનો તાગ કાઢી લીધો. નગરના મહાદ્વારોમાંથી પ્રવેશ કરવો તેમને જોખમકારક લાગ્યો. આમ છતાં તેમના મનમાં હવે કોઈ ભય ન હતો. મૃત્યુનો ડર હવે એમના રોમમાં ય ન હતો; આમ છતાં મળેલું દુર્લભ માનવ જીવન હારી ન જવાય, વિરતિ પામ્યા વિના ચાલ્યા ન જવાય તેનો ડર જરૂર હતો. એમને થયું કે નગરમાં જવા માટે મહાદ્વારમાંથી પસાર થાઉં અને કોઈક કળ દબાતાં, શસ્ત્રો પડે ને મોત થાય તો વિરતિ પામ્યા વગર જવું પડે. મરવાનો ડર ન હતો, પણ વિરતિ પામ્યા વિના મરવાનો ડર હતો. તત્કાળ કરવા યોગ્ય નિર્ણય કરી લીધો અને રથ પાછો વાળ્યો. શ્રી સુધર્માસ્વામીના ચરણોમાં ઉપસ્થિત થઈ નતમસ્તકે વિનંતી કરી કે “ભયવં ! વંમાં દિ !' 'ભગવન્! બ્રહ્મચર્ય વ્રત આપો !” બ્રહ્મચર્ય એટલે અડધી દીક્ષા : બ્રહ્મચર્ય વ્રતને અડધી દીક્ષા તરીકે ઓળખાવ્યું છે. એનાથી અડધો સંસાર કપાઈ જાય છે. સુખી શ્રીમંત ઘરનો દીકરો છે, એકનો એક છે. મા-બાપને મળ્યા વગર આવ્યો છે, તેમની અનુમતિ લીધા વગર આવ્યો છે, ભર યુવાનીના ઉંબરે ઉભો છે. તેનાં મા-બાપને પુછ્યા વગર ચોથું વ્રત અપાય ? તમને પૂછું છું, મહાનુભાવ ! આ રીતે અમારાથી કે કોઈપણ ધર્મોપદેશકથી કોઈને બ્રહ્મચર્યનો નિયમ અપાય કે ન અપાય ? અડધી દીક્ષા અપાય ? એ નિયમ આપવો યોગ્ય છે કે અયોગ્ય છે તે જાણવું છે; માટે તમારો જવાબ જોઈતો નથી, પણ જવાબ એ માટે જોઈએ છે કે તમારી આસક્તિ કેવી છે તે તમારા જવાબ પરથી નક્કી થાય. તે કાળ કેવો હશે ? ધર્મદેશકનો પ્રભાવ કેવો હશે કે આવા શ્રીમંત કુટુંબના નબીરાને પણ સહજ રીતે પ્રતિજ્ઞા આપી શકતા. તમે રોજના વ્યાખ્યાન સાંભળવાવાળા, આવું થાય તે વખતે તમે શું કરો ? તમારા જ દીકરાનું આવું થાય તો શું કરો ? જેની સાથે તમારો સારો સંબંધ હોય, તેના જ દીકરાને કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy