SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ . આતમ જાગો શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ એમને માત્ર એટલું જ કહ્યું, ‘મા ડિબંધ ુદ' - ‘રાગનાં બંધન કરતો નહિં,’ 352 ‘જા જલ્દી જા, જલ્દી પાછો આવજે અથવા ‘નન્હા સુË’ એવું કે એમાંનું કશું જ નથી કહ્યું. આમાનું કશું જ નથી કહેવાનું. આ સહજ વિવેક છે. વીતરાગના શાસનને પામેલા સાધુની ભાષા કેવી વિવેકપૂર્ણ મર્યાદા વાળી હોય. તેને પાપનો ભય હોય. ‘જા' કહે તો જાય તેની વિરાધના, ‘જલ્દી આવજે' એમ બોલે તો આવે તેની વિરાધના. સભા: જહા સુખ ન કહી શકાય ? ના, સંસારીને-અવિરતિધરને જહા સુખ ન કહી શકાય. ‘તને સુખ ઉપજે તેમ કરજે’ એમ કહે તો પણ પાપ, સંસારીને-અવિરતિધરને સુખ શેમાં ઉપજે ? સંસારની પ્રવૃત્તિમાં, અવિરતિ-આરંભની પ્રવૃત્તિમાં માટે એને સાધુથી ‘જહા સુખ' ન કહેવાય. સાધુ વિરતિધરને ‘જહા સુખ' કહી શકે. કારણ કે વિરતિધરને સુખ શેમાં ઉપજે ? સાધનામાં, વિરતિમાં, સાધનાની અને વિરતિની ક્રિયાઓમાં. સભા: પૌષધવાળાને પણ ન કહેવાય ? ના. પૌષધમાં પણ તમારે દુવિ... - તિવિહેણની જ પ્રતિજ્ઞા છે. વિરતિ થોડી અને અવિરતિ ઘણી છે. વિવેકપૂર્વક-અપેક્ષાપૂર્વક સમજવાનો પ્રયત્ન કરો. ‘મા પડિબંધ વુદ્િ’ - ‘રાગનાં બંધન કરતો નહિં.’ કેવા સરસ શબ્દો છે. શ્રી સુધર્માસ્વામીના પાવન મુખમાંથી એ શબ્દો સરી પડ્યા અને જંબૂકુમારે મસ્તક ઝુકાવીને ઝીલી લીધા. પૂજ્યને પૂંઠ ન પડે તે રીતે પાછલે પગલે બહાર નીકળ્યા, રથમાં ગોઠવાયા અને મનમાં મનોરથમાળા ચાલુ થઈ. ‘ગામમાં જઈશ. માતા-પિતાને નમીશ, હૈયાની વાત રજૂ કરીશ. માતા-પિતાની અનુમતિ મેળવીને પાછો આવીશ, ગુરુચરણે જીવન સમર્પિત કરીશ અને જાતને ધન્ય બનાવીશ.' આ જ મનોરથોમાં જઈ રહ્યા. Jain Education International નગરના દ્વાર પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે અહીં તો યાંત્રિક શસ્ત્રો ગોઠવાએલાં છે, ત્યાંના રાજવીને સમાચાર મળ્યા હતા કે શત્રુ રાજવી વિશાળ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy