________________
૭૧
–
૪ દીપ સે દીપ જલે પ્રવર વૈરાગી જંબુસ્વામી - 17
–
351
કઈ રીતે તેની ભૂમિકા કરવી છે ! તે જંબૂકુમાર ધર્મદેશના સાંભળવા ગયા હતા. એ ધર્મદેશના સ્થળને નજર સામે લાવો, એ દેશનાસ્થળની ચારેય બાજુના દૃશ્યને નજર સામે લાવો ! દરેક શ્રીમંતના વિધ-વિધ રથોના ઢેર ત્યાં ખડકાયા છે. કોઈ પાલખીમાં આવ્યા છે. કોઈ મેનામાં સવાર થઈ આવ્યા છે, કોઈ શિબિકામાં આવ્યા છે, તો કોઈ રથમાં આવ્યા છે. કોઈ હાથી ઉપર સવાર થઈને આવ્યા છે, તો કોઈ ઘોડાઓ ઉપર પલાણીને આવ્યા છે.
હય–ગય-રથ-મેના-પાલખી-વાહનનો નહિ પાર' - આ કડી ત્યાં સાર્થક થઈ રહી છે.
દરેક વ્યક્તિ પોતપોતાની રીતે વૈવિધ્યતા સભર વાહનોમાં બેસીને તો કોઈ પગપાળા ચાલીને ત્યાં આવ્યા છે. સૌએ પોતપોતાનાં વાહનોની શોભા-શણગાર પોતાના મોભાને અનુરૂપ કર્યા છે.
એક તરફ સંસારરસની છોળો ઉછળતી હોય અને બીજી બાજુ વૈરાગ્યસભર ધર્મદેશના વહેતી હોય તે વખતે વર્ષોની ભોગ-વાસનાઓને તોડીને, આશા અને અરમાનોને છોડીને સાધક પુણ્યાત્માઓ એ વૈરાગ્યધારામાં ઝાકઝબોળ થયા હશે ત્યારની એ પળો કેવી ધન્ય હશે ? ન જાણે દેશનામાં કયાં શબ્દો બોલાયા હશે ? કેવી શૈલી પ્રયુક્ત કરાઈ હશે ? કેવી અભિવ્યક્તિ થઈ હશે ? શું સંવેદનાઓ અનુભવાઈ હશે ? આપણે કહી શકતા નથી. પણ એવું તો ચોક્કસ કહી શકીએ કે તેમના શબ્દ-શબ્દ સંવેગ અને નિર્વેદની છોળો ઉછળતી હશે. જંબૂકુમારે એમાં સ્નાન કર્યું - આત્મા પાવન બન્યો હશે, વૈરાગ્ય પ્રબળ બન્યો હશે. વૃત્તિઓ શાંત-પ્રશાંત ને ઉપશાંત બની હશે. ધર્મદેશના પૂર્ણ થતાં એ ઉભા થયા હશે અને કહ્યું હશે, “ભગવંત ! આપ મારા ઉપર અનુગ્રહ કરો ! થોડો સમય આપ અહીં જ સ્થિરતા કરો. માતા-પિતા પાસે જઈને આવું છું, અનુમતિ લઈને આવું છું, મારે મારું સમગ્ર જીવન આપને ચરણે સમર્પિત કરવું છે.”
નવાણું (૯૯) કરોડ નગદ સોનૈયાના માલિકનો એ દીકરો, એકનો એક છતાં એક જ ધર્મદેશના સાંભળીને સર્વ સંપત્તિનો ત્યાગ કરવા તૈયાર થાય ? સર્વ માન-પાન, ભોગ સુખોનો ત્યાગ કરવા તૈયાર થાય ? - એ ઘટનાને જરા આંખ સામે લાવો ! એ કાળમાં, એ સમયમાં, એ ક્ષેત્રમાં, એ વાતાવરણમાં વિહરવાનું જરા ચાલુ કરો ! તમને ખ્યાલ આવશે એ ક્ષણો, એ પળો, એ ઘડીઓ કેવી હશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org