SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ 350 ૭૦ -- - - ૨ - આતમ જાગો ! મોક્ષમાં ગયા, અને આખો શ્રમણ સંઘ શ્રી સુધર્માસ્વામીજીના શરણે રહ્યો. એ શ્રમણ સંઘનો યોગક્ષેમ કરતાં-કરતાં, અનેક નગરોને પાવન કરતાં-કરતાં શ્રી સુધર્માસ્વામીજી રાજગૃહીનાં આંગણે પધાર્યા. એ પરમાત્માના વારસદાર, શ્રમણ સંઘ શિરતાજ, શ્રી સુધર્માસ્વામીજીની ધર્મ દેશના સાંભળવા આખું રાજગૃહી નગર ઉમટ્યું છે. એટલો બધો ઘેરો એમનો પ્રભાવ હતો, નિર્મળ સંયમ-પ્રબળપુણ્યશાળી, સંઘનું નેતૃત્વ ધારણ કરનારા; પરમાત્માના ગણધારિત્વને વરેલા, અમોઘ દેશના લબ્ધિવાળા, ચૌદપૂર્વના રચયિતા એ મહાપુરુષ પધાર્યા હશે ત્યારે રાજગૃહીનાં લોકોએ કેવો આનંદ અનુભવ્યો હશે ? જેને આંગણે નવ્વાણું કરોડ નગદ સોનૈયાની છોળો ઉછળતી હતી. એ પણ નગદ ! વેપારમાં રોકેલાં જુદાં, જમીનમાં દાટેલાં જુદાં. એ નવ્વાણું કરોડના સ્વામીને આંગણે વર્ષો પછી ખોળાનો ખુંદનારો બાળક અવતર્યો. જન્માંતરનો એ સાધક આત્મા હતો. પ્રબળ પુણ્ય લઈને આવેલો એ પુણ્યાત્મા હતો. એકનો એક લાલ હતો - તેને કેવી રીતે ઉછેર્યો હશે ? એને માટે મા-બાપે કેવા-કેવાં અરમાનો સેવ્યાં હશે ? માટે જ આઠ-આઠ શ્રીમંત ઘરની કન્યાઓ સાથે તેનું વેવિશાળ કરવામાં આવ્યું હતું. જેવો તે સુખી હતો તેવાં જ વેવિશાળ કરનારાં સામા પક્ષનાં કુટુંબો પણ શ્રીમંત અને મોટા ઘરનાં હતાં. એ સુખી ઘરનો નબીરો, શ્રીમંત કુળનો વારસદાર, સોળ વર્ષની એની ઉમર અને તેને ધર્મદેશના સાંભળવાનું મન થાય તો તેના સંસ્કાર કેવા હશે ? તેના ઘરમાં સંસ્કારવારસો કેવો હશે ? લોકમાં ભગવદ્ગીતામાં વર્ણવાયેલ સંવાદ પ્રસિદ્ધ છે. લોકમાં ભૌતિક પદાર્થો, રાજ્ય, સુખસામગ્રી ઈષ્ટ મનાય છે. માટે તેવાં ઈષ્ટ પદાર્થો કઈ રીતે મળે એ ધરી ઉપર જ લૌકિક સંવાદો સર્જાતા હોય છે. એવા જ લૌકિક ઈરાદાથી સર્જાયેલ ગીતાનો સંવાદ અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો હતો. જ્યારે લોકોત્તર જૈનશાસનમાં જેટલા પણ સંવાદો હોય છે તે ભૌતિક પદાર્થો, રાજ્ય, સુખસામગ્રી વગેરે ઈષ્ટ ગણાતી વસ્તુઓનો પણ ત્યાગ કરવાની પ્રેરણા કરવા માટે રચાતા હોય છે. કેમકે એ બધી જ વસ્તુઓથી સરવાળે દુઃખ અને દુઃખની પરંપરા જ પ્રાપ્ત થતી હોય છે. એવા જ આ સૂયગડાંગ સૂત્રનો સંવાદ, પંચમ ગણધારી શ્રી સુધર્માસ્વામી અને જંબુસ્વામી વચ્ચેનો હતો. એ સંવાદ સર્જાયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy