________________
૪
દીપ સે દીપ જલે : પ્રવર વૈશગી જંબૂવામી
:
જંબૂસ્વામીનાં ઓવારણાં લઈએ એટલાં ઓછાં :
અનંત ઉપકારી, ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રીમહાવીર મહારાજાના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ દ્વાદશાંગી પૈકીના બીજા અંગ-આગમમાં બંધનને તોડવાનો ઉપદેશ આપ્યો છે. આ ઉપદેશ જેને આપવામાં આવ્યો છે, તે ઉપદેશનું શ્રવણ કરવાનું સૌભાગ્ય જેને મળ્યું છે એવા ચરમ કેવલી જંબૂસ્વામીજી મહારાજનાં ઓવારણાં લઈએ એટલાં ઓછાં છે.
કેવું એ દૃશ્ય હશે કે જે સમયે જંબૂસ્વામીજીને સુધર્માસ્વામીજી ‘વૃગ્નિજ્ઞ તિટ્ટા' જેવાં પદો દ્વા૨ા બોધ પમાડવાનો પ્રયત્ન કર્યો હશે ! બંધનોને ઓળખવાનો ઉપદેશ આપ્યો હશે ! અનંતકાળથી વળગેલાં બંધનોને તોડવા માટેનો પુરુષાર્થ જગાડ્યો હશે ! તે વખતે અત્યંત વિનીત ભાવે, નમ્ર બનીને, ચરણોમાં મસ્તક જુકાવીને, નવ્વાણું કરોડ નગદ સોનૈયાના માલિકનો એકનો એક દીકરો સંસારત્યાગીને શ્રમણત્વને વરેલો હાથ જોડીને વિનમ્ર ભાવે પૂછતો હશે કે – ‘ભગવન્ ! પરમાત્માએ બંધન કોને કહ્યું છે અને એને તોડવાનો ઉપાય શું છે ? એ આપ મને સમજાવો !' જંબુસ્વામીના આ પ્રશ્નના ઉત્તરરૂપે આખા સૂયગડાંગ સૂત્રનો જન્મ થયો છે.
ખરેખર એ પળ કેવી ધન્ય હશે કે, જ્યારે પરમાત્માના મુખેથી ત્રિપદીને સાંભળી જેમ દ્વાદશાંગીની રચના બીજા દશ ગણધર ભગવંતોએ કરી તેમ સુધર્માસ્વામીજી મહારાજાએ પણ કરી હશે ! તે પછી દશ ગણધર ભગવંતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org