SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ દીપ સે દીપ જલે : પ્રવર વૈશગી જંબૂવામી : જંબૂસ્વામીનાં ઓવારણાં લઈએ એટલાં ઓછાં : અનંત ઉપકારી, ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રીમહાવીર મહારાજાના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ દ્વાદશાંગી પૈકીના બીજા અંગ-આગમમાં બંધનને તોડવાનો ઉપદેશ આપ્યો છે. આ ઉપદેશ જેને આપવામાં આવ્યો છે, તે ઉપદેશનું શ્રવણ કરવાનું સૌભાગ્ય જેને મળ્યું છે એવા ચરમ કેવલી જંબૂસ્વામીજી મહારાજનાં ઓવારણાં લઈએ એટલાં ઓછાં છે. કેવું એ દૃશ્ય હશે કે જે સમયે જંબૂસ્વામીજીને સુધર્માસ્વામીજી ‘વૃગ્નિજ્ઞ તિટ્ટા' જેવાં પદો દ્વા૨ા બોધ પમાડવાનો પ્રયત્ન કર્યો હશે ! બંધનોને ઓળખવાનો ઉપદેશ આપ્યો હશે ! અનંતકાળથી વળગેલાં બંધનોને તોડવા માટેનો પુરુષાર્થ જગાડ્યો હશે ! તે વખતે અત્યંત વિનીત ભાવે, નમ્ર બનીને, ચરણોમાં મસ્તક જુકાવીને, નવ્વાણું કરોડ નગદ સોનૈયાના માલિકનો એકનો એક દીકરો સંસારત્યાગીને શ્રમણત્વને વરેલો હાથ જોડીને વિનમ્ર ભાવે પૂછતો હશે કે – ‘ભગવન્ ! પરમાત્માએ બંધન કોને કહ્યું છે અને એને તોડવાનો ઉપાય શું છે ? એ આપ મને સમજાવો !' જંબુસ્વામીના આ પ્રશ્નના ઉત્તરરૂપે આખા સૂયગડાંગ સૂત્રનો જન્મ થયો છે. ખરેખર એ પળ કેવી ધન્ય હશે કે, જ્યારે પરમાત્માના મુખેથી ત્રિપદીને સાંભળી જેમ દ્વાદશાંગીની રચના બીજા દશ ગણધર ભગવંતોએ કરી તેમ સુધર્માસ્વામીજી મહારાજાએ પણ કરી હશે ! તે પછી દશ ગણધર ભગવંતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy