________________
૬૪
-
૨ - આતમ જાગ !
–
–
344
નિશ્ચયનયથી સાતમે ગુણસ્થાનકે આવે અને વ્યવહારનયથી ચોથે ગુણસ્થાનકે આવે. સ્થૂલ વ્યવહારનયથી પહેલે ગુણસ્થાનકે પણ આ પદ લાગુ પડે અને તિક્રિ' પદ વિરતિની શરૂઆત થાય ત્યારથી આવે. વિરતિની શરૂઆત પાંચમા ગુણસ્થાનકેથી છે, માટે તે પાંચમાં ગુણસ્થાનકે આવે. આમ છતાં સ્કૂલ વ્યવહારથી પહેલા ગુણસ્થાનકે પણ તોડવાની ક્રિયા હોઈ શકે. આમ છતાં વાસ્તવિક રીતે તોડવાની ક્રિયા અપ્રમત્ત-સાતમે ગુણસ્થાનક બને છે. ત્યારબાદ પ્રમત્ત-છદ્દે ગુણસ્થાનકે પણ એ હોય છે અને દેશવિરતિરૂપ પાંચમે ગુણસ્થાનકે અંશથી બંધનને તોડવાની ક્રિયા ચાલુ હોય છે. આગમનો અર્ક રામવાણીમાં :
આગમોના શબ્દો ભલે સાવ સાદા હોય, પણ તેમાં એટલું ઉડાણ હોય છે કે, જેને આત્માની, બંધનની, સંસારની પ્રતીતિ કરવી છે, તેને એમાંથી બધું જ મળી રહે છે. જેની જેવી તાકાત, તેવું અંદરથી ખેંચી શકે. પરમતારક ગુરુદેવ પણ આ જ શૈલીને વરેલા હતા.
પરમતારક ગુરુદેવશ્રીની ઉપદેશની શૈલી, વ્યાખ્યાનની શૈલી, સાવ સાદા શબ્દોવાળી હતી, પણ તેમાં તેઓશ્રીએ અધ્યાત્મના, યોગના, ઉપદેશના ગ્રંથોની અઘરામાં અઘરી વાતો સાવ સાદા શબ્દોમાં વણી લીધી હતી. તેઓશ્રીમદ્રના પ્રખર વિરોધી એવા એક વિદ્વાનને પણ એવું કહેતાં અનેકવાર સાંભળ્યા છે કે, “અઘરામાં અઘરા વિષયને સહેલામાં સહેલા શબ્દોમાં રજૂ કરવાની કળા રામચંદ્રસૂરિજી મહારાજને સહજભાવે વરેલી છે.”
પરમતારક ગુરુદેવશ્રીની પ્રસિદ્ધ ત્રિપદીની જો વાત કરું તો પરમતારક ગુરુદેવશ્રીની એ ત્રિપદીનું અનુકરણ કરવાનો પ્રયત્ન ઘણાંએ કર્યો, તેમની જેમ ત્રિપદી ઘણાંએ ઘણીવાર બનાવી પણ કાં તો અતિવ્યાપ્તિ કાં તો અવ્યાપ્તિ દોષવાળી હોય, જૈનસંઘને અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ વગેરે દોષ વગરની, આગમ શાસ્ત્ર સાપેક્ષ, જિનવચનને તદ્દન અનુરૂપ “છોડવા જેવો સંસાર, મેળવવા જેવો મોક્ષ અને એ માટે લેવા જેવું સંયમ” એવી ત્રિપદીની ભેટ આ મહાપુરુષે ધરી છે.
અનુકૂળતાનો રાગ છોડો અને પ્રતિકૂળતાનો દ્વેષ છોડો', આ બે જ પદોમાં એ મહાપુરુષે આખો સામ્યયોગ-સમતાયોગ વણી લીધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org