________________
૯૩
– ૩ : બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં - 167
343
પણ દર્શનો છે, જે માત્ર જ્ઞાનથી જ મોક્ષ માને છે. વેદાંત દર્શન માત્ર જ્ઞાનથી મોક્ષને માને છે અને મિમાંસક દર્શન માત્ર ક્રિયાથી મોક્ષને માને છે. એક આંધળો છે અને એક લંગડો છે. એક દેખતો છે, પણ લંગડો છે, તે ક્રિયાની ઉપેક્ષા કરે છે અને બીજો ચાલી શકે છે, એના પગ સાજા છે, પણ એ દેખી શકતો નથી. તે જ્ઞાનની ઉપેક્ષા કરે છે. જે આંધળો છે, તે પણ અટવી ઓળંગી શકતો નથી અને લંગડો જે છે, તે પણ અટવી ઓળંગી શકતો નથી. પણ જો બંને ભેગા થાય; આંધળો, લંગડાને ખભે બેસાડીને ચાલવાનું શરૂ કરે, દેખતો માર્ગ ચીંધે તેમ આંધળો પગ ઉપાડે તો બંને અટવી ઓળંગી જાય.
બંધનને જાણવું તે સમ્યજ્ઞાન છે, બંધનને માનવું તે સમ્યગ્દર્શન છે અને બંધનને તોડવું તે સમ્યક ક્રિયા છે, સમ્યક્યારિત્ર છે. આ ગાથામાં ત્રણેય બતાવવામાં આવ્યાં છે. જાણવાનું, માનવાનું અને કરવાનું છે. બંધનને જાણવું છે, ઓળખવું છે, બંધનને જાણીને, ઓળખીને માનવું છે, બંધનને જાણીને માનીને તોડવું છે. ચારે બાજુથી જાણીને તોડવાનું છે. દશવૈકાલિક સૂત્રનું વાક્ય છે : “પઢમં ના તો રયા' – પહેલાં જ્ઞાન પછી દયા, પહેલાં જ્ઞાન પછી ક્રિયા. એટલે પહેલાં જાણવાનું પછી તોડવાનું. જાણ્યા વિના તોડવું શક્ય નથી. તોડવું હોય તો પહેલાં જાણવું અનિવાર્ય તોડવાનું કેવી રીતે ? ઉપલક નજરે જોઈને નહિ, પરંતુ ચારે બાજુથી જાણીને; એ માટે શબ્દ આપ્યો કે, ‘રિવાળિયા” ચારેય બાજુથી જાણો !
શાસ્ત્રોમાં જાણકારી માટે બે શબ્દો આવે છે. શપરજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. તમારી ભાષામાં કહેવું હોય તો જ્ઞપરિજ્ઞા એટલે થીઅરીકલ નોલેજ અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા એટલે પ્રેક્ટિકલ નોલેજ.
જો કે તમારે ત્યાં વપરાતા આ બન્નેય શબ્દો અધુરા છે. જ્ઞપરીક્ષા અને પ્રત્યાખ્યાન પરીક્ષા આ બે શબ્દો દ્વારા જેટલું કહેવું છે, તે તમારે ત્યાં વપરાતા થીઅરીકલ નોલેજ અને પ્રેકટીકલ નોલેજ શબ્દ દ્વારા પુરેપુરુ કહેવાતું નથી છતાં તમને કાંઈક અણસાર આવે માટે કહું છું. આ બંને રીતે જાણકારી મેળવવાની છે. તે બન્ને રીતે બંધનની જાણકારી મેળવ્યા પછી તે બંધનને તોડવા માટેનો પ્રયત્ન કરવાનો છે.
આ જ વસ્તુ નિશ્ચયનય અને વ્યવહારનયથી જોવાની છે. “ોિz' પદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org