________________
૩ : બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં – 16 341 અને સૌથી પહેલી વાર વાસ્તવિક સુખનો આસ્વાદ પ્રાપ્ત થાય. પ્રયત્ન કરવો છે એને પામવાનો ? આપણે જો સમ્યગ્દર્શનને પામવાનો પ્રયત્ન નહિ કરીએ તો આજ સુધીમાં કરેલા અનંત ભવોમાં આ ભવનો એક નવો ઉમેરો થશે.
૬૧
મનુષ્યદેહ વિના મુક્તિ નહિ અને એ દેહ પર મમતા હોય ત્યાં સુધી મુક્તિ નહિ :
પરમતા૨ક ૫૨મશ્રદ્ધેય ૫૨મ ગુરુદેવશ્રીની વાત કરું. દેહમાં હોવા છતાં કેવી દેહાતીત અવસ્થાનો અનુભવ તેઓશ્રીએ કર્યો હતો એ મારે બતાવવું છે. તેઓશ્રી ત્યારે ખંભાતમાં હતા. ભયંકર શીળસ નીકળ્યું હતું. આખા શરી૨માં લાલ લાલ જામઠાં થઈ ગયાં હતાં. શરીર આખું જ સૂજી ગયું હતું. પરિચિત વ્યક્તિ પણ ન ઓળખી શકે એવો ચહેરો અને શરીર સૂજી ગયાં હતાં. સતત તાવ, અસહ્ય ચળ આવે, એક પળની ઉંઘ નહિ, એ સ્થિતિમાં ૭૨ કલાક એકધારી ચિંતનધારા ચાલી.
અમે જોયું છે, જ્યારે પણ આવી પળો જીવનમાં આવી હોય, પછી એ કલાક હોય, દિવસ હોય કે મહિના હોય; એ મહાપુરુષ ઉંડા ભાવોમાં, ઉંડી અનુપ્રેક્ષામાં ચાલ્યા જતા હતા. ત્રણ દિવસ પછી જ્યારે એ માંદગી કંટ્રોલમાં આવી ત્યારે અમે પૂછ્યું, સાહેબ, ‘આપે આ ત્રણ દિવસોમાં શું વિચાર્યું ?'
દેહમાં હોવા છતાં દેહાતીત અવસ્થાનો અનુભવ કરનારા એ મહાપુરુષે અતિ સહજતાથી કહ્યું. ‘આ મનુષ્યના દેહ વગર પણ મુક્તિની સાધના થતી નથી અને આ દેહ ઉપર જ્યાં સુધી મમતા હોય ત્યાં સુધી પણ મુક્તિની સાધના થતી નથી.’ આ મુદ્દા ઉપર ચિંતન ચાલ્યું. આ બે જ પદ ઉપર ત્રણ-ત્રણ દિવસ ચિંતનધારા ચાલી હશે, તો તેનું ઉંડાણ કેવું હશે ? ઉંડાણ ન હોય તો એક પદ ઉપર લાંબો સમય વીતી શકતો નથી. આ ચિંતનને કારણે આટલી વેદનાની વચ્ચે તેઓશ્રીનો ચહેરો જ્યારે જુઓ ત્યારે પ્રસન્ન-પ્રસન્ન જોવા મળતો. પ્રશમભાવમાં સમરસમાં ઝીલતા જાય અને કર્મના મેલને ધોતા જાય. ‘કહત કૃપાનિધિ સમરસ ઝીલે, કર્મમયલ જો ધોવે' પૂજ્યપાદ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજની આ પંક્તિઓને ત્યારે ચરિતાર્થ થતી જોઈ.
પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીજીની જીંદગીની અનેક પળો મેં એવી જોઈ છે કે, એમને એમના દેહની દરકાર ન હોય. કોઈને ત્યાં સ્કુટર-મોટ૨ કે કોમ્પ્યુટ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org