________________
૫૮
ૐ
આતમ જાગો !
પછી સંન્યાસીએ કહ્યું, ‘હું એક સુવાક્ય લખી આપું, પણ તમે લખશો ને ?’ તેઓએ કહ્યું, ‘અવશ્ય લખશું !’ ‘તો હું લખીને આપું છું, પણ એક શરત કે, તમારે તે કવર અહીં નહીં ખોલવાનું, બરાબર લખવાનું હોય ત્યારે જ ખોલવાનું !' એ બધાએ કબૂલ રાખ્યું. સંન્યાસીએ લખીને આપ્યું.
338
પેલા લોકો ગામમાં ગયા. સારામાં સારી પ્લેટ લીધી. કોતરવા સારા કારીગરને બોલાવ્યો અને કવર ખોલ્યું ! અંદર લખ્યું હતું કે –
“મહેરબાની કરીને મારા ભક્તોથી સાવચેત રહેજો.”
જ્યારે બંધન બંધન નથી લાગતું, ત્યારે તે સુંવાળું લાગે છે અને માણસ તેને ચારે બાજુથી શોધતો ફરે છે. બંધન સુંવાળું લાગે છે, એટલે એમાં એ વધારે ને વધારે અંદર ખૂંપતો જાય છે.
અહીં આર્દ્રકુમાર એક બંધનથી ભાગ્યા, પણ એમણે એ પૂર્વે જ એક બીજું બંધન ઉભું કરેલું હતું અને તે હતું કર્મનું, જેને કારણે આ પરિસ્થિતિ સર્જાણી હતી. લાંબી વાત કરતો નથી. સરવાળે આ જ કન્યાના પતિ તરીકે સંસાર ઉભો કરવાનો વારો આવ્યો ! કાળક્રમે બાળક જન્મ્યો. બાર વર્ષ સંસાર ચાલ્યો. છેવટે સંસાર છોડીને સર્વવિરતિ સ્વીકારવાનો નિર્ણય કર્યો. એ દરમ્યાન બાળક નાનું હતું અને એની મા રેંટીયો કાંતી રહી હતી; બાળકે માને પૂછ્યું કે, ‘મા ! તું અને રેંટીયો ? શા માટે રેંટીયો કાંતે છે ?’
‘બેટા, કાલે તારા બાપુ જવાના છે. એ ગયા પછી ખાઈશું શું ? માટે રેંટીયો કાંતું છું !' જવાબમાં એ નાના બાળકે કહ્યું કે, ‘મા ! તું ચિંતા ન કર, હમણાં મારા બાપુને બાંધી દઉં છું. જાય શેના ?’
પેલા બાળકે માએ કાંતેલા કાચા સુતરના તાંતણા લીધા. ખાટલામાં ઉંચા પગ કરીને સૂતેલા આર્દ્રકુમારના પગમાં બાંધી દીધા. પછી બાળક તાળી પાડીને, ખુશ થતો બોલ્યો કે, ‘મા ! મેં બાપુને બાંધી દીધા. હવે આપણને મૂકીને ક્યાંય નહિ જઈ શકે.'
Jain Education International
આર્દ્રકુમાર બાળકનાં કાલી કાલી ભાષામાં બોલાયેલાં વેણ સાંભળી એની લાગણીના બંધનથી બંધાઈ ગયા. મનોમન નિર્ણય કર્યો કે, કાચા સૂતરના જેટલા આંટા હશે, એટલા વર્ષ હું રહી જઈશ. એમણે એ આંટા ગણ્યા તો બાર હતા અને બાર વર્ષ રહેવાનું નક્કી કરી લીધું. આ રીતે ફરી બાર વર્ષનું બંધન ઉભું થયું.
For Private & Personal Use Only
www.jainelibrary.org