________________
૩ : બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં - 16 — 337 રમતની શરૂઆત થઈ, એક-બે ને ત્રણ બોલાયા. કુમારિકાઓએ દોડી અને એ દરેકે એક-એક થાંભલો પકડ્યો. એમાંથી બાકી રહી ગયેલી એક કુમારિકાએ કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહેલા આર્દ્રકુમારને જ થાંભલો સમજી પકડી લીધા અને બોલી ‘આ મારો વર.' એ કુમારિકાનું નામ હતું સુનંદા.
તેમની ધ્યાનની ધારા કેવી હશે ? અંતર્મુખતા કેવી હશે ? આત્મપરિણતિ કેવી હશે ? કાયાની સ્થિરતા કેવી હશે ? જોનારને ખબર પણ ન પડી કે આ થાંભલો છે કે માણસ ? ત્યાં જ વીજળીનો ઝબકારો થયો અને એ છોકરીને સમજાયું કે હું જેને પકડીને ઉભી છું તે થાંભલો નથી પણ કોઈ સાધુપુરુષ છે, એણે તરત જ વિચાર્યું કે ભલે હું ભૂલથી બોલી કે ‘આ મારો વર’ પણ હવે તો મારા માટે આ જ વ૨ હોઈ શકે બીજો નહી એટલે એણે મનોમન નિર્ણય કરી લીધો કે ભવિષ્યમાં પરણીશ તો આ સાધુને જ પરણીશ.
૫૭
વિજળીનો ઝબકારો થતાં સુનંદાને જેમ એ ખ્યાલ આવ્યો કે આ થાંભલો નથી પણ પુરુષ છે તેમ તેની સાથોસાથ ત્યારે જ તેને મુનિવરના પગ ઉપરનું એક ચિહ્ન પણ દેખાયું અને એને એણે પોતાની સ્મૃતિમાં કોતરી લીધું.
આર્દ્રકુમારને પણ ઉભાં થનારાં બંધનોનો અંદાજ આવી ગયો. એથી એમણે ઉભાં થનારાં બંધનોથી બચવા તત્કાળ ત્યાંથી વિહાર કર્યો. જ્યારે બંધનો બંધનરૂપ લાગે છે, ત્યારે સાધકો બંધનોથી ભાગતા ફરે છે અને જ્યારે બંધન સુંવાળાં લાગે છે, ત્યારે બંધનને શોધતા ફરે છે.
સંન્યાસીનું બાવલું : સુવિચાર : ભક્તો :
એક સંન્યાસીની વાત કરું. તેમના ભક્તોએ તેમના ઉપકારોની સ્મૃતિ માટે એમનું બાવલું બનાવ્યું. તે બાવલાની નીચે એક સુવાક્ય લખવાનું નક્કી કર્યું. બધા ભેગા થયા. પણ મુંઝવણ થઈ કે લખવું શું ? અંતે નિર્ણય ઉપર આવ્યા કે, લખાણ અંગે સંન્યાસીજીને જ આપણે પૂછીએ. એ જે લખી આપે તે જ સુવાક્ય લખાવી દઈએ. એમ વિચારી સંન્યાસી જ્યાં હતા ત્યાં જઈ બધી વાત કરી. એ સંન્યાસી પાસે જૈનદર્શનનો બોધ ન હતો, જૈનદર્શનનો ઊંચો વિવેક પણ ન હતો. છતાં એક વાત ચોક્કસ હતી કે એ બંધનથી ડરતા હતા.
સંન્યાસીએ પેલા ભક્તોને ઘણા સમજાવ્યા. કહ્યું ‘આવું કાંઈ કરવાની જરૂર નથી. રહેવા દો !' પણ ભક્તો એકના બે ન થયા, ન માન્યા તે ન જ માન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org