________________
૫૩ –૩: બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં - 16– 333
જે જ્ઞાની હોય તે શરીરના સંતર્પણને પોતાનું સંતર્પણ ન માને, ન અનુભવે. એ તો જ્ઞાનાદિની પરિણતિ દ્વારા થતા આત્માના સંતર્પણને જ પોતાનું સંતર્પણ માને.
અજ્ઞાનીની દશા એથી ઊંધી છે. આત્મબોધ વગરનો જીવ અજ્ઞાની છે. એને સમ્યજ્ઞાનાદિની પરિણતિથી થતા આત્મ સંતર્પણની કલ્પના પણ આવતી નથી. એ તો આહારાદિથી થતા શરીરના સંતર્પણને જ પોતાનું સંતર્પણ માને છે, સુખ માને છે અને એમાં જ રાચે છે. આત્મભાન વગરના જીવો સદાય આવી જ અવદશામાં અટવાય છે.
જેને આત્મભાન ન થયું હોય એને કર્મનાં બંધન બંધન તરીકે ક્યારેય ન દેખાય એને કોઈ દોરડાથી-સાંકળથી કે તારથી બાંધે તો હજું બંધન દેખાય, કોઈ ઘરમાં પૂરે તો હજું બંધન લાગે. પણ આત્માને વળગેલું કર્મનું બંધન તો એને દેખાય જ નહીં. બંધન તોડ્યું... બાંધ્યું અને તોડ્યું... મહાત્મા આદ્રકુમારની પુરુષાર્થ કથા :
જેને બંધન-બંધન લાગે છે, તે કેવાં કેવાં મજબૂત બંધનોને પણ તોડી નાંખે છે અને જેને બંધન-બંધન નથી લાગતું તેને નાનું ગણાતું બંધન પણ પટકી નાંખે છે – આ વાતને સમજવા માટે ઢગલાબંધ દૃષ્ટાંતો શાસ્ત્રમાં નોંધાયેલાં છે. આદ્રકુમારનું જીવન પણ એક એવું જ દૃષ્ટાંત છે.
આદ્રકુમાર, એ જન્માંતરનો સાધક આત્મા હતો. સર્વવિરતિને આરાધી ચૂકેલો એ આરાધક હતો. આમ છતાં કર્મવશ હતો. ચારિત્રની આરાધનામાં એ ચૂક્યો હતો, સંયમજીવનની વિરાધના કરીને એણે મોહનીય કર્મ બાંધ્યું હતું. તે કારણે અનાર્ય દેશમાં જન્મ્યો હતો. એનું કુળ પણ અનાર્ય હતું. આમ છતાં ધર્મ પામવાની એની યોગ્યતા જીવંત હતી.
અનંતકાળે અનંત પુણ્યરાશિ ભેગી થાય ત્યારે માંડ આર્યદેશાદિ સામગ્રી મળે છે. જૈનધર્મના ઉંચા સંસ્કારો તો એથી ય વધુ પુણ્યરાશિ ભેગી થાય ત્યારે જ મળે છે. એ પ્રાપ્ત સામગ્રીની વિરાધના કરવાથી એ સામગ્રી ફરી મળતી નથી. ફરી જ્યારે અનંત પુણ્યરાશિ ભેગી થાય ત્યારે જ ગુમાવેલી એ આર્યદેશાદિ સામગ્રીની ફરી પ્રાપ્તિ થાય છે.
આજની તમારી પરિસ્થિતિ વિચારજો ! આર્યદેશમાં જન્મેલા તમારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org