SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ – ૩: બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં - 16 - 331 ચાલુ કરો કે “શું વાત કરું ? પેટમાં દુઃખે છે, બેચેની છે, હાથ દુઃખે છે - પગ તૂટે છે, માથું ફાટે છે. કાંઈ ચેન પડતું નથી' તમે આ બધી કોની વાત કરી ? તમારી કે શરીરની? મોહાધીનને શરીરના રોગોની ચિંતા : આત્મભાનવાળાને આત્માના રોગોની ચિંતા : ઉપમિતિ ભવપ્રપંચા' નામના મહાન ગ્રંથનું નામ તમે સાંભળ્યું હશે ? તે મહાન ગ્રંથની રચના કરીને સિદ્ધર્ષિ ગણીએ સમગ્ર જૈન સંઘ ઉપર જે ઉપકાર કર્યો છે, તે અકલ્પનીય છે. તેના પહેલા પ્રસ્તાવમાં આત્માને જ્યારે પોતાના સ્વરૂપનું ભાન થાય છે, ત્યારની તેની મનોદશાનું બહુ સુંદર વર્ણન કર્યું છે. આત્મા જ્યારે અનાદિની મોહની પક્કડમાંથી છૂટીને ભાનમાં આવે છે, ત્યારે એને પીડતા એક એક રાગાદિ રોગોનું એને કેવું ભાન થાય છે ? એની એમાં વાત કરી છે. મોહાધીન જીવને જેમ ચોવીસ કલાક શરીરના રોગોની ચિંતા થાય છે, તેમ આત્મભાનવાળા જીવને આત્માના એક એક રોગની ચિંતા થાય છે. શરીર પોતે હોવાના ભ્રમવાળા જીવોને શરીરમાં નાનો મોટો રોગ થતાં જેવી બેચેની અનુભવાય છે તેવી જ બેચેની આત્મભાન જેને થયું છે તેને આત્મિક રોગોની અનુભૂતિ થતાં થાય છે. સાધકને જ્યારે ક્રોધ વગેરે કષાયો પડે ત્યારે થાય કે “મને ક્રોધ કેમ પ્રગટ્યો ! મને માન કેમ સતાવે છે ? હજુ મને માયા કેમ સ્પર્શી જાય છે ? લોભ હજુ મારો કેડો કેમ છોડતો નથી. મને હજુ આસક્તિ કેમ થાય છે ? પરનિંદાનો ભાવ હજુ કેમ છૂટતો નથી ? ઈર્ષા ને અસૂયા કેમ પડે છે ? ભગવાનની વાત ગમતી કેમ નથી ? ભગવાનની વાત સ્પર્શતી કેમ નથી ?” આવું થાય ત્યારે માનજો કે આત્મા ભાનમાં આવ્યો અથવા આત્માનું ભાન થયું. આત્માનો રોગ, આત્માના રોગ તરીકે ઓળખાય ત્યારે સમજવું કે આત્માને આત્માનું ભાન થયું. જમવા બેઠા, વાનગી પીરસાઈ ને રાગ થયો તો થાય કે, મને રાગ-રોગ કેમ પડે છે ? ક્યાંક ગયા ત્યારે કોઈએ મીઠો આવકાર આપ્યો, ગમ્યો તો થાય કે, મને રાગ-રોગ કેમ પીડે છે ? આવું થાય તો સમજવું કે મને આત્મભાનની શરૂઆત થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy