________________
૫૦
આતમ જાગો !
દર્શનનો સંપર્ક ન થાય ત્યાં સુધી આત્માના સ્વરૂપ વગેરેના બોધમાં ગરબડ રહે છે; આમ છતાં એને આત્માની વાત-વિચા૨ નિરર્થક નથી લાગતી.
ૐ
આસ્તિક દર્શનના સંપર્કમાં આવવા છતાં જો મિથ્યાત્વ ગાઢ હોય તો આત્માની વાત-વિચાર કરવા ગમે. આમ છતાં આત્મસ્વરૂપની મિથ્યા માન્યતા એની એવી પ્રગાઢ હોય કે એને આત્માના વાસ્તવિક સ્વરૂપને સ્વીકારવાનું મન
પણ ન થાય.
આ બધા દૃષ્ટિકોણથી વિચારીએ તો મિથ્યાત્વની હાજરીમાં અને મિથ્યામતોના સકંજામાં ફ્સાયેલા જીવોને આત્માનો સ્વીકાર કરવો એ પણ અઘરું બને છે. અને આત્માનો સ્વીકાર કર્યા પછી પણ આત્માના વાસ્તવિક સ્વરૂપનો સ્વીકા૨ ક૨વો એ પણ એટલું જ કઠીન બને છે.
330
જે કોઈ મિથ્યાત્વથી બચે, મિથ્યામતોના સંપર્કથી છૂટે, સમ્યક્ત્વને પામે તેના માટે આત્મસ્વરૂપનો વાસ્તવિક બોધ થવો સરળ બને, અગર તો જેનું મિથ્યાત્વ મંદ પડે અને જે સર્વજ્ઞશાસનના - જૈન દર્શનના સંપર્કમાં આવ્યો હોય એને જ આત્માનો અને આત્માના વાસ્તવિક સ્વરૂપનો બોધ થવો સરળ બને છે, એને જ આત્માની, આત્માના વાસ્તવિક સ્વરૂપ-વિરૂપની વાતો સાંભળવી, વિચારવી ગમે છે.
આગળ એવા મતોની વાત આવવાની જ છે કે જે એમ માને કે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ ભૂતમાંથી ચેતના શક્તિ ઉત્પન્ન થાય છે, આ ચેતના શક્તિ એ જ આત્મા છે, એથી જુદો કોઈ આત્મા જ નથી. પાંચ ભૂતોમાંથી ચેતના પેદા થાય છે અને એ પાંચ ભૂતોમાં જ ચેતના વિલીન થઈ જાય છે. તે ચેતનાશક્તિ ગઈ એટલે આત્મા વિલીન થઈ ગયો. જે પાંચભૂતરૂપ છે તે હું છું અને એનાથી હું જુદો નથી વગેરે. હું નથી એટલે કોઈ નથી વગેરે. એ મતો કેવા ખોટા છે તે ત્યારે જોઈશું.
Jain Education International
મૂળ વાત પર આવો. ૨૪ કલાકમાં આપણે આપણી સાથે વાત ક્યારે કરી ? ૨૪ કલાકમાં આપણે આપણી ખુદની દરકાર ક્યારે કરી ?
તમને કોઈ પૂછે, ‘કેમ છો ?’ એટલે તમે તમારી વાત કરો કે શરીર, ધનસંપત્તિ, પરિવારની વાત કરો ! તમારા અંત૨ના ભાવો-પરિણામોની અનુભૂતિની વાત કરો કે શરીરની અનુભૂતિની વાત કરો ? તમે તો તરત જ
For Private & Personal Use Only
www.jainelibrary.org